Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ કરો આ ઉપાય, મા લક્ષ્મીની કાયમ રહેશે કૃપા

Webdunia
સોમવાર, 2 મે 2022 (13:20 IST)
Akshaya Tritiya 2022 Upay: દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવવામાં આવે છે. દર વર્ષે અક્ષય તૃતીયા 3 મે મંગળવારના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. ખરીદી કરવાની સાથે જ દાન કર્મ કરવાનુ અધિક મહત્વ હોય છે.  અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.  માન્યતા છે કે આ દિવસે માંગલિક કાર્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે મુહુર્ત વગર લગ્ન-વિવાહ વગેરે માંગલિક કાર્ય કરવામાં આવે છે.  અખાત્રીજના પાવન પર્વ પર રાશિ મુજબ દાન પુણ્ય કરવાથી  અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જાણો રાશિ મુજબ અખાત્રીજ પર શુ કરશો દાન 
 
મેષ - મેષ રાશિના જાતકોએ અક્ષય તૃતીયના પાવન તહેવાર પર પુણ્ય પ્રાપ્તિ માટે લાલ રંગના કપડામાં લાડુ મુકીને દાન કરવુ જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. 
 
વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર કળશ ભરીને જળ એટલે કે પાણી  દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે અને આર્થિક લાભ થાય છે.
 
મિથુનઃ- મિથુન રાશિના લોકોએ મગની દાળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરમાં પૈસાનો પ્રવાહ છે.
 
કર્કઃ- કર્ક રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે ચાંદીમાં મોતી જડીને ધારણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
 
સિંહઃ- સિંહ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે સવારે ઉઠીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. ગોળનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી કરિયરમાં પ્રગતિ થાય છે.
 
કન્યા રાશિઃ- અક્ષય તૃતીયાના દિવસે કન્યા રાશિના જાતકોએ પન્ના રત્ન ધારણ કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કમી નથી રહેતી.
 
તુલાઃ- તુલા રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના શુભ પર્વ પર લોકોને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
વૃશ્ચિકઃ- જ્યોતિષોના મતે વૃશ્ચિક રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે લાલ રત્ન મૂંગા ધારણ કરવો જોઈએ. તેના પ્રભાવથી ધનલાભનો યોગ અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
 
ધનુ - અક્ષય તૃતીયાના દિવસે ધનુ રાશિના લોકોએ હળદરની ગાંઠને પીળા કપડામાં લપેટીને પૂજા સ્થાન પર મુકવી જોઈએ. આ સાથે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
 
મકરઃ- અક્ષય તૃતીયાના દિવસે મકર રાશિના લોકોએ વાસણમાં તલનું તેલ લઈને ઘરના પૂર્વ ભાગમાં રાખવું જોઈએ.
 
કુંભઃ- કુંભ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે કાળા તલ, નારિયેળ અને લોખંડનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી અટકેલા કામોમાં સફળતા મળે છે.
 
મીન રાશિઃ- મીન રાશિના લોકોએ આ દિવસે પીળા ફૂલને પીળા કપડામાં બાંધીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments