Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crime News કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો, વહેમ જતાં મોતને ઘાટ ઉતાર્યો

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (12:14 IST)
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં કિન્નરની હત્યા થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. નોબલનગરમાં આવેલા વાલ્મીકીનગરમાં રહેતા મમતા માસીને તેના જ પ્રેમીએ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસનું કહેવું છે કે મમતા માસી, તેનો પ્રેમી અજય નાળીયા અને અન્ય એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી વાલ્મીકી આવાસમાં ભાડે રહેતા હતા. જો કે કેટલાક સમયથી મમતામાસી તેમજ અજય વચ્ચે તકરાર ચાલી રહી હતી. 
 
માસીને શંકા હતી કે તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી. જો કે આજે ઉગ્ર બોલાચાલી થતાં અજયએ મમતા માસીને છાતીના ભાગે હથિયારનો એક ઘા માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મમતા માસીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અને આરોપીની પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments