Biodata Maker

ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 10 દિવસમાં 15.58 ટકાથી વધીને 32.64 ટકા થયો

Webdunia
સોમવાર, 11 મે 2020 (13:50 IST)
ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪૫૪ જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ ૧૫.૫૮ ટકાથી વધીને ૩૨.૬૪ ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ ૩૦.૭૫ ટકા કરતાં પણ વધારે છે. આરોગ્ય અગ્ર સચિવ ડા.શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોરોનાની સારવારમાં જે મહત્વના પગલાં સમયસર લેવાયા છે તેને પરિણામે ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. પંજાબનો ડિસ્ચાર્જ રેટ ૯ % છે. પશ્ચિમ બંગાળનો ૨૧%, તામિલનાડુનો ૨૮%, ઓરિસ્સાનો ૨૧%, મહારાષ્ટ્રનો ૧૯%, ચંદીગઢનો ૧૪ % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ ૩૦.૦૯ % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ ૩૨.૬૪ ટકાએ પહોંચ્યો છે. ગુજરાતે કોરોના વાયરસના સંક્રમણને નાથવા આયોજનબધ્ધ - આગોતરા પગલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના માર્ગદર્શનમાં ભર્યા તેના પરિણામે રાજ્યનો ડિસ્ચાર્જ રેટ હવે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધ્યો છે.છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ ૨૬૬ જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં ૪૧ દર્દીઓ, સુરતમાં ૩૩, ભાવનગરમાં ૧૫, આણંદમાં ૧૭, ગાંધીનગર માં ૧૨, પંચમહાલમાં ૧૮, તથા મહેસાણા જિલ્લામાં ૧૨ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. આજે બનાસકાંઠામાં ૮, અરવલ્લીમાં ૬, મહિસાગરમાં ૫, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં ૩, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. આમ આજે રાજ્યમાં કુલ ૪૫૪ દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments