Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ આજે 609મો સ્થાપના દિન ઉજવશે

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (13:12 IST)
માણેકચોકના ગુરૂ માણેકનાથના મંદિરે શ્રધ્ધાંજલી આપીને તથા વર્ષ 1411 માં  જ્યાં અમદાવાદનો પાયો નખાયો હતો. તે માણેક બુર્જ ખાતે ધ્વજ પૂજા કરીને અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિન આજે બુધવાર, તા. 26 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે.  
 
નાથ પંથના 84 સિધ્ધ ગુરૂઓમાં સ્થાન ધરાવતા ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવીને એહમદશાહ બાદશાહે તા. 26મી ફેબ્રુઆરી, 1411ના રોજ માણેક બુર્જ ખાતે શહેરનુ નિર્માણ ચાલુ કર્યુ હતું. ગુરૂના આશિર્વાદથી અમદાવાદ શહેર વિકસતુ જાય છે અને સમૃધ્ધ બનતુ જાય છે.
અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને માણેકનાથજીની ગાદી અને નાથ પરિવારના  13મા મહંત ચંદનનાથજી ધ્વજ પૂજા કરીને તથા ફૂલહાર કરીને ગુરૂ માણેકનાથજીના આશિર્વાદ મેળવશે.
ગુરૂ માણેકનાથજીના મંદિરે સવારે 8-15 કલાકે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી 9-00 કલાકે ધ્વજ પૂજા યોજાશે.
 
અમદાવાદ એક અનોખુ  શહેર છે કારણ કે મોટાભાગના શહેરોમાં લોકોનેએ પણ ખબર નથી કયા સ્થળે શહેરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવાં પણ ખૂબ ઓછાં શહેર છે કે જેના વારસો પોતાના પૂર્વજોના તહેવારો અને પરંપરાને જાળવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments