Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, નેત્રોત્સવ વિધિ એટલે શુ ?

Webdunia
સોમવાર, 4 જુલાઈ 2016 (14:25 IST)
ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. . આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે. ત્યાર બાદ સવારે 8.00 વાગ્યે નેત્રોત્સવની વિધિ યોજાશે. આમ તો નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે જ કરવાની પરંપરા રહી છે, પરંતુ આ વર્ષો દરમિયાન સૌપ્રથમવાર આ વિધિ 2 દિવસ પહેલા યોજાઇ રહી છે.

નેત્રોત્સવ વિધિ એટલે શુ 
 
ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.

 જગન્નાથજી મંદિરમાં રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવી રહી છે. પણ ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસરપુર સ્થિત રણછોડજી મંદિર મામાને ઘેર રોકાયા હતા. મામાને ઘેરથી આજે ભગવાન નીજ મંદિર પરત ફર્યા છે. આજે સવારે 8 વાગ્યે ભગવાન મંદિરના ગર્ભગૃહમાં લવાયા હતા,  આજે શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે, ત્યાર પછી મંગળા આરતી થશે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડ્યાં હતાં. અને ભગવાનનો સોનાવેશમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ ગયાં હતાં.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments