Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ સમાજે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2016 (10:53 IST)
અમદાવાદમાં ૧૩૯મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે શહેરમાં કોમી એકતાના વાતાવરણને વધુ મજબુત કરવાના ભાગરૂપે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે ચાંદીના રથ સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.
 
અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રા સૌ પ્રથમ મુસ્લિમ વિસ્તાર જમાલપુરમાંથી પસાર થાય છે. તેમજ સમગ્ર શહેરમાં નગરયાત્રા દરમ્યાન ઘણા મુસ્મિલ વિસ્તારોમાંથી તે પસાર થાય છે. તેમજ મુસ્મિલ વિસ્તારોમાં પણ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે.તેમજ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કર્યા બાદ મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રામાં સંપૂર્ણ સહકારનો વિશ્વાસ આપ્યો હતો. 
 
આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષથી અમે મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપીને કોમી એકતાના તહેવારને વધુ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં સહભાગી થઇએ છીએ.તેમજ ભગવાન જગન્નાથને અર્પણ કરાયેલો આ રથ સવા કિલો ચાંદીનો છે. જેમાં પૃથ્વીના પંચ તત્વો સમાન પાંચ ઘોડા પ્રતિકૃત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મુસ્લિમ સમાજ દ્વારા ચાંદી રથ આપવાના અવસરની પ્રશંસા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી રથયાત્રા ભાઈચારો અને કોમી એકતાના વાતાવરણને વધુ મજબુત કરે છે.
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments