Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rath yatra 2023- રથયાત્રાના 13 ખાસ તથ્યો

Webdunia
રવિવાર, 18 જૂન 2023 (14:16 IST)
13 special facts about Rath Yatra- છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ રથ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફરાવાય છે. ચાલો આપણે જાણીએ કે શા માટે અને તે કેવી રીતે કાઢાય છે, જગન્નાથ રથયાત્રા અને શું તેની પાછળનો સંપૂર્ણ વાર્તા. 
- ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નગરયાત્રાએ નીકળે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં જાય છે
- અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. 
- ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની ઝાડૂ (સાવરણી) લગાવીને શરૂ થાય છે
- ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં, રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે
-  તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે. 
- એવું માનવામાં આવે છે કે જે લોકો રથ સાથે સહકાર કરે છે તેને મોક્ષ મળે છે. જણાવીએ કે, જગન્નાથજીની રથયાત્રા ગુંદેચા મંદિરમાં પહોંચીને પૂરી હોય છે. 
- મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
- જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે
- ભાઈ બળભદ્રને મળેલ રથ (Balabhadra Rath name) તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે
- ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે, આ રથ લાલ અને પીળા રંગનો છે અને તેમાં 16 પૈડાં છે, 
- ભગવાન બલભદ્રનો રથ લાલ અને લીલા રંગનો છે, તેને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેમાં 14 પૈડાં છે. 
- એક કથા મુજબ સુભદ્રાના દ્વારિકા દર્શનની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામએ જુદા-જુદા રથમાં બેસીને યાત્રા કરી હતી.
- જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments