Webdunia - Bharat's app for daily news and videos

Install App

૪૫૦ વર્ષ પહેલા જગન્નાથ મંદિરના સ્થળે વટવૃક્ષ હતું

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (13:50 IST)
અમદાવાદ શહેરનું ઐતિહાસિક ભગવાન જગન્નાથનું મંદિર રથયાત્રાનું એક યાદગાર સ્થળ બની ગયું છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથનું આ મંદિર લગભગ ૪૫૦ વર્ષથી પણ પ્રાચિન છે. ૪૫૦ વર્ષ પહેલા આ સમગ્ર જગ્યા પર એક વિશાળ વટવૃક્ષ હતુ અને ચારે તરફ જંગલ હતું. મંદિરથી થોડેક દુર સાબરમતીનો પવિત્ર કિનારો હતો. જગન્નાથ મંદિરની સ્થાપનાન ઘટના અતિ રોમાંચક છે.

રામાનંદી નામના સિદ્ધ સંત વિચરણ કરતા કરતા આ પાવન સ્થળેથી પસાર થઇ રહ્યા હતા. તે કોઇ દિવ્ય તરંગોનો સ્પર્શ થયો તેમના ચરણ થંભી ગયા અને અંતરઆત્મામાંથી વાણી સંભળાઇ બહુત ઘુમા, બહુત ફિરા અબ તેરે ઠહરને કા મુકામ આ ગયા હૈ, યહ તેરી તપશ્યા ભૂમિ હૈ ઔર યહિ રૂક જા. અંતરના આ અવાજને સંત રામાનંદીએ નતમસ્તકે સ્વીકારી ત્યાં જ ધુણી ધખાવી દીધી છે.

એક દિવસે વહેલી સવારે રામાનંદી સંત સાધનામાં લીન હતા ત્યારે નજીકમાંથી હૈયાફાટ રૂદન સાથે જઇ રહેલી અંતિમ યાત્રામાં ડાઘુઓને સંતે પૂછ્યુ ત્યારે એક ડાઘુએ ભારે હૈયે સંતને જવાબ આપ્યો હતો કે જવાનજોધ કંધોતરને કાળોતરો આભળી જતા મોતને ભેટ્યો છે. તે પછી સંતે એક ડાઘુને બોલો જય જગન્નાથ કહી જડીબુટ્ટી આપી અને તે પીસીને યુવાનના મોમાં નાખવા કહ્યુ અને યુવાન જીવીત બની ગયો. તે પછી હાજર સહુ સંતના ચરણોમાં ઢળી પડ્યા તે પછી આ સ્થળે હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું અને સંત રામાનંદી હનુમાનદાસજીના શિષ્ય સારંગદાસજીએ આ ભૂમિનો વિશેષ વિકાસ હાથ ધર્યો અને ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાની ર્મુિતઓ મંગાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. સંત સારંગદાસજીએ દેહ છોડ્યા બાદ બાલ મુકુન્દદાસજીએ મહંત પદ સંભાળ્યુ અને તેમણે ગુરૂનું કાર્ય આગળ ધપાવ્યું. તેઓના બ્રહ્મલીન થયેલા તેમના શિષ્ય નરસિંહદાસજીએ જવાબદારી સંભાળી અને મહંત નરસિંહદાસજીએ અમદાવાદમાં સૌ પ્રથમવાર ઇ.સ. ૧૮૭૮ની અષાઢી બીજની વહેલી સવારે એક ભવ્ય પરંપરાનો પ્રારંભ

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments