Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રામાં ભક્તોને રપ,૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ ભગવાનની પ્રસાદી અપાશે

Webdunia
શનિવાર, 2 જુલાઈ 2016 (17:52 IST)
ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા આગામી ૬, જુલાઇ બુધવારના રોજ નીકળનાર છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી, ૩ બેન્ડવાજાં, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.

દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચશે. સાધુ સંતો સાથે હજારથી બારસો જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચશે. રથયાત્રા દરમિયાન જગન્નાથજી મંદિર તરફથી લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે તેમાં રપ,૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો કાકડી અને બદામ તથા બે લાખ ઉપરણાં પ્રસાદી રૂપે આપવામાં આવશે. સોમવારે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળથી પરત ફરશે. ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ, વિશિષ્ટ પૂજન વિધિ અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. રાજ્યપાલ ઓ.પી. કોહલી સવારે વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે. મેયર ગૌતમ શાહ દ્વારા મંદિરના ધ્વજારોહણની વિધિ કરાશે. આ જ દિવસે બપોરે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયું છે. રથયાત્રાના આગલા દિવસે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાંજે વિશિ‌ષ્ટ પૂજા આરતી કરશે. રથયાત્રાના દિવસે સવારે ૪-૦૦ વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. ભગવાનને પરંપરાગત ખીચડી, કોળું અને ગવારફળીનાં શાકનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સવારે ૭ કલાકે પહિન્દ વિધિ કરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments