Festival Posters

કુર્બાનીનો તહેવાર : ઈદુજ્જુહા

Webdunia
N.D

ઈસ્લામ ધર્મની અંદર તહેવારના રૂપે બે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદુબલ ફિત્ર જેને મીઠી ઈદ કહેવાય છે અને બીજી છે બકરી ઈદ. આ ઈદને સામાન્ય માણસો બકરા ઈદ પણ કહે છે. કદાચ એટલા માટે કેમકે આ ઈદ પર બકરાની કુર્બાની આપવામાં આવે છે. આમ તો આ ઈદને ઈદુજ્જોહા અને ઈદે-અજહા પણ કહેવાય છે. આ ઈદનો ઉંડો સંબંધ કુર્બાની સાથે છે.

આ દિવસે ખાસ કરીને બકરાની કુર્બાની આપવામાં આવે છે. બકરો તંદુરસ્ત અને કોઈ પણ રોગ વિનાનો હોવો જોઈએ. એટલે કે તેના શરીરના બધા જ અંગો એવા હોવા જોઈએ જેવા ખુદાએ બનાવ્યાં છે. કુર્બાની આપવાની હોય તે જાનવરની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષની હોવી જોઈએ.

પોતાનો મજહબી ફરીજા સમજીને તેને કુર્બાન કરવો જોઈએ. જે ખાસ વાતોને ઉપર જણાવી છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આજકાલ આની અંદર ખોટી શાન અને દેખાડો થઈ રહ્યો છે. 15-20 હજારથી લઈને લાખ બે લાખમાં બકરો ખરીદવામાં આવી રહ્યો છે ત્યાર બાદ તેને આખા સમાજમાં ફેરવવામા આવે છે જેથી કરીને લોકો તેને જોઈને તેના માલિકના વખાણ કરે. આ દેખાડાની કુર્બાનીનો કોઈ જ અર્થ નથી. કુર્બાનીથી જેવો સવાબ એક સમાન્ય બકરાથી મળે છે તે જ એક મોંઘા બકરાથી પણ મળે છે. જો તમારી પાસે વધારે પૈસા હોય તો તમે એવા કામ કરો જેનાથી ગરીબોનું કલ્યાણ થાય.

અલ્લાહનું નામ લઈને જાનવરને કુર્બાન કરવામાં આવે છે. આ જ કુર્બાનીને ગોશ્ત અને હલાલ કહેવામાં આવે છે. આ ગોશ્તના ત્રણ બરાબર ભાગ કરવામાં આવે છે એક ભાગ પોતાને માટે, એક ગરીબો માટે અને એક મિત્રો-સ્નેહીજનો માટે. મીઠી ઈદ હોય તો સદકા અને જકાત આપવામાં આવે છે. તો આ ઈદ વખતે કુર્બાનીની ગોશ્તનો એક ભાગ ગરીબોમાં વહેચવામાં આવે છે. દરેક તહેવાર પર ગરીબોનું ધ્યાન જરૂર રાખવામાં આવે છે જેથી કરીને તેમને એવું ન થાય કે ખુદાએ તેમને ઓછુ આપ્યું છે.

આ ઈદ જેવી રીતે બધાને સાથે લઈને ચાલવાનો સંદેશ આપે છે તેવી જ રીતે માણસને ખુદાનું કહ્યું માનવાનો, અને સત્યના માર્ગ પર પોતાનું બધુ જ કુર્બાન કરવાનો પણ સંદેશ આપે છે. આજે આપણા દેશની જે હાલાત છે તેને જોતા કોઈએ કહ્યું છે-

દેશ કી ખાતિર મિટા દે અપની હસ્તી કો નદીમ
આજ કે દીન હોગી કુર્બાની યહી સબસે અજીમ
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments