Biodata Maker

devshayani ekadashi 2023- ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ, જાણો આની પાછળનુ રહસ્ય

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (13:01 IST)
Devshayani Ekadashi Mystery: દર મહિને બંને પક્ષમાં  આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવુ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવ સે  જાગે છે.
 
આ ચાર મહિનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં છે. એટલું જ નહીં, શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ભગવાન શ્રી હરિ ચાર મહિના શયનકાળમાં જવાનું કારણ શું છે?  આવો જાણીએ.. 
 
117 દિવસ માટે કેમ સૂઈ જાય છે ભગવાન શ્રી હરિ  ?
આ ચાર માસ એટલે કે ચાતુર્માસને વર્ષાઋતુ કહેવામાં આવે છે. આ વરસાદી મોસમ દરમિયાન વિશ્વમાં પૂરનું જોખમ ખૂબ જ વધી જાય છે. આ દરમિયાન અનેક પ્રકારના પ્રલય થાય છે. સાથે જ સૂર્ય આ સમયે દક્ષિણ તરફ આગળ વધે છે અને કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિનું  નિશાન કરચલો છે. કહેવાય છે કે કરચલો સૂર્યપ્રકાશને  ખાય છે.  તેથી હવે દિવસો નાના થવા માંડે છે .
 
બીજી બાજુ ભગવાન શ્રી હરિ સૂઈ જવાને લઈને એક માન્યતા છે કે આ દરમિયાન વિશ્વમાં અંધકાર છવાય જાય છે.  ભગવાન વિષ્ણુ આ ઉથલપાથલને સંભાળતા ખૂબ થાકી જાય છે, તેથી તેઓ ચાર મહિના માટે સૂઈ જાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વને સંભાળવાનું કામ તેમના જુદા જુદા અવતારોને સોંપે છે.
 
દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ રીતે સૂવડાવો 
આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. બાદમાં ધૂપ-દીપથી પૂજા કરવામાં આવે છે. આ પછી ભગવાન વિષ્ણુના શયન માટે પલંગ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા કપડા પર શયન કરાવવામાં આવે છે. આ દરમિયાન શ્રાવણ, શારદીય નવરાત્રી, કરવા ચોથ, દીવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments