rashifal-2026

શનિદેવને ખુશ કરવા માટે શનિવારે શુ કરવુ અને શુ ન કરવુ ?

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (08:06 IST)
શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ કે જેનું ધ્યાન તમે રાખશો તો શનિદેવ તમારાથી ક્યારેય નારાજ નહીં થાય.
 
સૌ પ્રથમ જાણીએ શનિવારે શુ ન કરવુ 
 
સરસિયાનું તેલ - શનિવારે સરસિયાના તેલની ખરીદી ના કરો. આ દિવસે તેલનું દાન કરવુ જોઇએ ના કે ખરીદવું જોઇએ.
 
લોખંડનો સામાન - શનિવારે લોખંડથી બનેલ સામાન કયારેય ખરીદવો નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિદેવ નારાજ થઇ જાય છે. લોખંડનો સામાન ખરીદવાની જગ્યાએ લોખંડથી બનેલ વસ્તુઓ દાન કરવી જોઇએ. જેનાથી શનિદેવની કૃપા રહે.
 
મીઠુ - જો મીઠાની ખરીદી કરવી જ હોય તો પણ શનિવારના દિવસે ના કરો. માનવામાં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવુ આવે છે.
 
નોનવેજ-દારૂ - શનિવારના દિવસે નોનવેજ-દારૂનું સેવન કરવું નહી. ભુલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરશો નહી. જો આ વસ્તુઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે.
 
મસુરની દાળ - શનિવારના દિવસે મસુરની દાળ ખાશો નહી. કારણ કે મસુર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે. શનિવારે મસુરની દાળ ખાવાથી શનિ ઉગ્ર બને છે.
 
હવે જાણીએ કે શનિવારે કયા કામ કરવા જોઈએ 
 
-  શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.
-  ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.
-  શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.
-  આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.
-  તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

શિયાળાના બપોરના ભોજન માટે સ્વાદિષ્ટ 'લસણ મેથી' નું શાક બનાવો, સ્વાદ એવો છે કે તમે પનીર નું શાક ભૂલી જશો, રેસીપી નોંધી લો

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત

વધુ જુઓ..

નવીનતમ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments