Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી વિવાહની પૂજા વિધિ અને મહત્વ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (06:28 IST)
Tulsi Vivah- તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. 
 
- તુલસી વિવાહ માટે સૌથી પહેલા લાકડાના બાજોટ પર એક આસન પાથરો. 
- કુંડાને ઘેરુથી રંગી દો અને તુલસીજીને બાજોટ પર સ્થાપિત કરો.
- બન્ને બાજોટની ઉપર શેરડીથી મંડપ લગાવો. 
- હવે એક કળશમાં જળ ભરીને રાખો અને તેમાં પાંચ કે સાત કેરીના પાન લગાવીને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. 
- પછી શાલિગ્રામ અને તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકુ થી તિલ કરો. 
- તુલસી પર લાલ રંગની ચુનરી ચઢાવો. બંગડી, ચાંદલા વગેરેથી તુલસીનો શ્રૃંગાર કરો. 
- તે પછી કાળજી પૂર્વક બાજોટ સાથે શાલિગ્રામને હાથમાં લઈને તુલસીના સાત પરિક્રમા કરવી. 
- પૂજા પૂર્ણ થયા પછી તુલસી અને શાલિગ્રામની આરતી કરવી અને તેમનાથી સુખ સૌભાગ્ય ની કામના કરવી. 
સાથે જ પ્રસાદ બધામાં વહેંચવું. 
 
તુલસી વિવાહનુ મહત્વ 
માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાનના સમાન ફળની પ્રાપ્તિ હોય છે. તેથી જો કોઈ વ્યક્તિની કન્યા ન હોય તો તેને તુલસી વિવાહ કરીને કન્યા દાનના પુણ્ય જરૂર કમાવવા જોઈએ. જે વ્યક્તિ વિધિ-વિધાનથી તુલસી વિવાહ કરે છે તેમને મોક્ષ પ્રાપ્તિના દ્વારા ખુલી જાય છે. સાથે જ તુલસી અને ભગવાન શાલિગ્રામના વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.  
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments