Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shanivar Na Upay: શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ વસ્તુઓ, નહી તો અટકી જશે ઘરની પ્રગતિ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (11:29 IST)
Shanivar Na Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈએ દેવતાને સમર્પિત હોય છે અને તે દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવ ન્યાયના દેવતા છે, તેઓ માણસને તેના કર્મોના આધારે ફળ આપે છે. બીજી તરફ જ્યોતિષમાં શનિને ક્રૂર ગ્રહનું નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને વ્યક્તિએ તેની અશુભ અસરનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શનિવારે એવી કઈ વસ્તુઓ છે જે બિલકુલ ન ખરીદવી જોઈએ.
 
લોખંડની વસ્તુઓ - શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિવારે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે. જો તમે લોખંડનો બનેલો સામાન ખરીદો તો તેને ઘરે ન લાવશો.
 
મીઠું - શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે અને આર્થિક સ્થિતિ નબળી પડે છે. આવી સ્થિતિમાં જો તમે દેવાથી બચવા માંગતા હોય તો આ દિવસે મીઠું ન ખરીદો.
 
કાળા તલ - શનિવારે પણ કાળા તલ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામમાં અવરોધ આવે છે. આ દિવસે કાળા તલ અને સરસવના તેલથી શનિદેવની પૂજા કરવામાં આવે છે, તેથી શનિવારે કાળા તલ ખરીદવાની મનાઈ છે.
 
કાળા રંગનાં શૂઝ - શનિવારે કાળા શૂઝ ન ખરીદો. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા શૂઝ પહેરનારને તેના કાર્યમાં નિષ્ફળતા આપે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments