Festival Posters

શનિ-રાહુ-કેતુની તિકડીને બેઅસર કરે છે કૂતરુ

Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (14:43 IST)
શકુન શાસ્ત્રમાં કૂતરાને શકુન રત્ન માનવામાં આવે છે. કારણ કે માણસથી પણ વધુ વફાદાર, ભવિષ્ય વક્તા અને પોતાની હરકતોથી શુભ-અશુભનુ પણ જ્ઞાત કરાવે છે.  તેમને દરેક મુસીબત પહેલા જ અંદાજ થઈ જાય છે. સેફ્ટી માટે કૂતરાને પાળવો સૌથી સારો વિકલ્પ છે.  કૂતરાને ખૂબ જ સંવેદનશીલ અને હોશિયાર જાનવર માનવામાં આવે છે.  કારણ કે કૂતરા વફાદાર હોય છે અને ઘરની રખેવાળી માટે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. 
 
શનિને પ્રસન્ન કરવા માટે બતાવવામાં આવેલ ખાસ ઉપાયોમાંથી એક ઉપાય છે ઘરમાં કાળુ કૂતરુ પાળવુ. કાળો કૂતરો શનિદેવનુ વાહન છે. જે લોકો કૂતરાને ખવડાવે છે તેમના પર શનિ અતિ પ્રસન્ન રહે છે. શનિદેવની કૃપા ઉપરાંત જાતકને પરેશાનીઓથી સદા માટે મુક્તિ મળી જાય છે.  સાઢેસાતી, ઢૈય્યા કે કુંડળીનો અન્ય કોઈ દોષ આ ઉપાયથી નિશ્ચિત જ ઠીક થઈ જાય છે. 
 
કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી શનિ સાથે રાહુ-કેતુ સાથે સંબંધિત દોષોનુ પણ નિવારણ થઈ જાય છે. રાહુ-કેતુના યોગ કાલસર્પ ય્ગથી પીડિત વ્યક્તિઓને આ ઉપાય લાભ પહોંચાડે છે. 
 
લાલ પુસ્તમાં કેતુને કૂતરો માનવામાં આવ્યો છે. ઘરમાં કોઈપણ રંગનો કૂતરો પાળવાથી કેતૂનો ખરાબ પ્રભાવ ઓછો કરી શકાય છે. જ્યોતિષી મુજબ કેતુનુ પ્રતિક છે કૂતરો. પિતૃ શાંતિ માટે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ. કૂતરાને રોજ રોટલી ખવડાવવાથી બધા પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. ઘરમાં કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. 
 
કૂતરાને ભગવાન ભૈરવનો પરમપ્રિય માનવામાં આવે છે. ભગવાન ભૈરવનુ વાહન કૂતરો છે. તેથી કાળ ભૈરવ જયંતી, રવિવાર અને મંગળવારે કૂતરાની પણ પૂજા કરવામાં આવે છે.  કહેવાય છે કે જો કૂતરો કાળા રંગનો હોય તો પૂજાનુ માહાત્મય વધી જાય છે. કેટલાક ભક્ત  તો તેને પ્રસન્ન કરવા માટે દૂધ પીવડાવે છે અને મીઠાઈ ખવડાવે છે. સવા કિલો જલેબી બુધવારના દિવસે ભૈરવનાથને ચઢાવો અને કૂતરાને ખવડાવો. ઘરે આવનારા બધા સંકટોમાંથી મુક્તિ મેળવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Cucumber Dishes- ઉનાળામાં ખાસ ઝડપી અને ઠંડી કાકડીની વાનગીઓ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

આગળનો લેખ
Show comments