rashifal-2026

Chaitra Navratri 2023 - સપ્તમીના દિવસે લીંબુની માળા, લીમડો અને ગુલેરના ફૂલોથી પ્રસન્ન થાય છે મહાકાળી, આશિર્વાદ આપવા આવશે ઘરે

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (08:19 IST)
મા કાલીને પ્રસન્ન કરવાના ઉપાય - ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri 2023)ચાલી રહી છે. દરરોજ મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના દરેક સ્વરૂપનો પોતાનું વિશેષ મહત્વ છે. સપ્તમીના દિવસે માતાના મહાકાળી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.   મોટાભાગના લોકોને  મહાકાળીનું નામ સાંભળીને મા દુર્ગાનું ભયાનક અને વિકરાળ સ્વરૂપ દેખાય છે, પરંતુ હકીકતમાં તે 'કાલ' એટલે કે સમયનો અંત  કરનારી દેવીનું પ્રતીક છે. માતાનું આ સ્વરૂપ મુશ્કેલ સમય સામે લડવામાં સૌથી શક્તિશાળી અને મદદગાર છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી મા કાલીનું પૂજન કરવાથી તમને માની કૃપા મળી શકે છે.
 
મા કાલી ને પ્રસન્ન કરવાના 3 ઉપાય 
1. લીંબુની માળા - જ્યારે તમે દુર્ગા સપ્તશતીમાં મહાકાળી વિશે વાંચશો, ત્યારે તમે જાણશો કે માતા દુષ્ટ રાક્ષસોને મારવા આવી હતી અને એક-એકને મારીને તેને ગળામાં હારની જેમ પહેરીને યુદ્ધમાં વિચરીત કરતી હતી. લીંબુની માળા આ દુષ્ટ રાક્ષસોનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એક પ્રકારની બલિ માતાને ચઢાવવામાં આવે છે અને માતા તેનો સ્વીકાર કરશે.
 
2. લીમડાના પાન -  લીમડાના પાન માતાના ક્રોધને ઠંડક આપવાનું પ્રતીક છે અને માનવામાં આવે છે તે દેવી શીતલા છે. લીમડાના પાન યુદ્ધ દરમિયાન માતાને શાંત રાખવામાં મદદરૂપ રહ્યા. આવી સ્થિતિમાં, જે ભક્ત  મહાકાળીને લીમડાના પાન અર્પણ કરે છે, માતા તેમને શાંત, સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે.
 
3. જાસુદના ફૂલો
જો તમે જાસુદના ફૂલોને જોશો તો દરેક પર્ણ માતાની લાલ જીભ જેવી છે. તેમજ તેનો લાલ રંગ માતાને પ્રસન્ન કરે છે. તેથી જ આ બધી વસ્તુઓ સાથે કાલી દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી, તમે પણ નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓથી મહાકાળીનું પૂજન કરીને પ્રસન્ન કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments