Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનની કમી સતાવે તો ગુરૂવારે કરો આ 5 ઉપાય

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (01:01 IST)
પૈસો એક એવી વસ્તુ છે જેની પાસે જેટલો હોય એટલો ઓછો જ પડે છે.  પૈસાની કમીથી જ મોટાભાગની સમસ્યાઓ ઉભી થાય છે. જો આપ પણ આર્થિક રૂપથી પરેશાન રહો છો. ફાલતુ ખર્ચને કારણે દર મહિને તમારુ બજેટ બગડી રહ્યુ છે તો ગુરૂવારના દિવસે ધન વૃદ્ધિના ઉપાય અજમાવવા જોઈએ.  
 
જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યુ છે કે ગુરૂ ધનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ પર ગુરૂની કૃપા હોય છે તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ માટે કેટલાક ઉપાય લાલ કિતાબમાં બતાવ્યા છે.   ગુરૂવારના દિવસે સવાર સાંજ કરો આ કામ 
 
-ગુરૂવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને  સ્નાન ધ્યાન કરો અને ઘી નો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
-વ્યક્તિ આર્થિક રૂપથી પરેશાન છે તો તે ગુરૂવારના દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવરીને પીળા વસ્ત્ર ધારણ કરો અને પીપળના વૃક્ષ પર મા લક્ષ્મીનુ નમ લેતા સાત પરિક્રમા લગવો. પીપળાના વૃક્ષનુ પૂજન કરો. જળ ચઢાવો અને લક્ષ્મીજીની ઉપાસના કરો અને કોઈપણ એક લક્ષ્મી મંત્રથી એક માળાનો જાપ ઝાડ નીચે બેસીને કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે. 
 
-ગુરૂવારના દિવસે એક પાણી ભરેલા ઘડામાં રાઈના પાન નાખીને આ જળને અભિમંત્રિત કરીને આ જળથી સ્નાન કરો તેનાથી તમારી દરિદ્રતા રોગ નષ્ટ થશે.  આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં સંપત્તિનો વાસ થશે. 
 
- ગુરૂવારે સાંજના સમયે કેળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને લાડુ કે બેસનની મીઠાઈ અર્પિત કરો અને લોકો વચ્ચે વહેંચી દો.  ગુરૂવારે ભગવાનને એપૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનુ તિલક પણ લગાવી શકો છો.  
 
ગુરૂનો પ્રભાવ ધન પર હોય છે. જો કોઈ તમારી પાસે ગુરૂવારે રૂપિયા કે તમારુ કોઈ ધન માંગે તો તે આપવાથી બચવુ જોઈએ.  ગુરૂવારે ધન આપવથી ગુરૂ કમજોર થઈ જાય છે. અને આર્થિક પરેશાની વધે છે.  
 
જો તમે ઈચ્છો છો કે તમારી પર ગુરૂની કૃપા કાયમ રહે તો તો માતા પિતા અને ગુરૂનો આશીર્વાદ લો. તેમનો આશીર્વાદ ગુરૂનો આશીર્વાદ માનવામાં આવે છે.  તેમની પ્રસન્નતા માટે પીળા રંગના વસ્ત્ર  ભેટ સ્વરૂપ આપો.  ગુરૂવારે ધાર્મિક પુસ્તકોનુ દાન કરવાથી પણ ગુરૂ મજબૂત થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ કામ કરવુ જોઈએ. ગુરૂવારે જો તેઓ ધાર્મિક પુસ્તકોનુ દાન કરે તો તેમના અભ્યાસમાં આવતા તમામ અવરોધ દૂર થઈ જશે. 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

માત્ર ટુવાલમાં લપેટીને મહાકુંભમાં ન્હાવા લાગી યુવતી, વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા આ ગોવા નથી

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments