rashifal-2026

દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ આ મંત્ર સાથે સૂવડાવો

Webdunia
ગુરુવાર, 29 જૂન 2023 (13:39 IST)
દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ રીતે સૂવડાવો
 
આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. બાદમાં ધૂપ-દીપથી પૂજા કરવામાં આવે છે. આ પછી ભગવાન વિષ્ણુના શયન માટે પલંગ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા કપડા પર શયન કરાવવામાં આવે છે. આ દરમિયાન શ્રાવણ, શારદીય નવરાત્રી, કરવા ચોથ, દીવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
 
વિષ્ણુને આ મંત્ર સાથે સૂવડાવો  ‘સુપ્તે ત્વયિ જગન્નાથ જમત્સુપ્તં ભવેદિદમ્। વિબુદ્ધે ત્વયિ બુદ્ધં ચ જગત્સર્વ ચરાચરમ્।।
 
 
દર મહિને બંને પક્ષમાં  આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવુ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવ સે  જાગે છે.
 
આ ચાર મહિનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં છે. એટલું જ નહીં, શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ભગવાન શ્રી હરિ ચાર મહિના શયનકાળમાં જવાનું કારણ શું છે?  આવો જાણીએ.. 
 
 ભગવાન શ્રી હરિ સૂઈ જવાને લઈને એક માન્યતા છે કે આ દરમિયાન વિશ્વમાં અંધકાર છવાય જાય છે.  ભગવાન વિષ્ણુ આ ઉથલપાથલને સંભાળતા ખૂબ થાકી જાય છે, તેથી તેઓ ચાર મહિના માટે સૂઈ જાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વને સંભાળવાનું કામ તેમના જુદા જુદા અવતારોને સોંપે છે. 


Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments