Biodata Maker

4 જૂનની રાતથી લાગી જશે અગ્નિ પંચક, 5 દિવસ રાખવી આ સાવધાનીઓ

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (01:20 IST)
જ્યોતિષમાં બહુ ઘણા એવા મૂહૂર્ત અને નક્ષત્ર હોય છે જેને અશુભ ગણાય છે. તેમાંથી એક હોય છે પંચક શાસ્ત્રોમાં પંચક લાગતા સમયે ઘણા શુભ કામ કરવાની ના હોય છ્વે. આ વખતે 4 જોનની રાત્રે 1 વાગ્યા 33 મિનિટથી પંચક શરૂ થશે. જે 9 જૂનની સાંજ સુધી રહેશે. પંચકમાં ઘણા નક્ષત્ર આવે છે જેમ કે ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તર ભાદ્રપદ, પૂર્વા અને રેવતી નક્ષત્ર આવે છે. જે પંચક મંગળવારના દિવસે આવે છે તેને અગ્નિ પંચક કહે છે. અગ્નિ પંચકના સમયે અગ્નિથી થતા નુકશાનની શકયતા વધારે રહે છે. પંચક 5 પ્રકારના હોય છે. 
 
- જો પંચકની શરૂઆત રવિવારથી હોય છે તેને રોગ પંચક કહેવાય છે. તેમજ સોમવારે શરૂ થયું પંચક રાજ પંચક કહેવાય છે. 
- જે  પંચક મંગળવારના દિવસે આવે છે તેને અગ્નિ પંચક કહે છે. આ સમયે આગ લાગવાનો ડર વધારે રહે છે. અગ્નિ પંચકમાં શસ્ત્રની ખરીદી, નિર્માણ કે મશીનરી વગેરેનો કાર્ય નહી કરવું જોઈએ. 
- તે સિવાય મૃત્યું પંચક અને ચોર પંચક હોય છે. મૃત્યું પંચક શનિવારે અને ચોર પંચક શુક્રવારે હોય છે. બન્ને ખૂબ ધાતક અને અશુભ પંચક ગણાય છે. 
 
પંચકમાં શુ ન કરવું  
1. પંચક દરમિયાન જે સમયે ઘનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધણ એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે. 
 
2. પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય, તે સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવુ વિદ્વાનો માને છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ થાય છે. 
 
3. શાસ્ત્રો પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી વર્જિત છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવી છે. તેથી આ દિશામાં યાત્રા કરવાથી બચવુ જોઈએ. 
 
4. પંચકમાં બેડ બનાવડાવવો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્વાનો મુજબ આવુ કરવાથી કોઈ મોટુ સંકટ ઉભુ થઈ શકે છે. 
 
5. પંચકમાં શવના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments