Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના ઉંબરાનુ મહત્વ, જાણો કેવી રીતે કરશો ઉંબરાની પૂજા

Webdunia
સોમવાર, 8 જૂન 2020 (07:24 IST)
પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યેજ કોઈ ઘર ઉંબરા વગરનું હશે. ઉંબરાનાં પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. ઉંબરો એ વડીલોની ગરજ સારે છે. બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉંબરો પુછે છે, આ પૈસા તું લાવ્યો તે પસીનો પાડી લાવ્યો છો ને? હરામની કમાણી તો નથી ને ? ઉંબરો એટલે લક્ષ્મણ રેખા. ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ, ક્યા પ્રકારના પૈસા , કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે છે તેનો ઉંબરો સાક્ષી બને છે
 
 
 
શાસ્ત્રોમાં ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યુ છે આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. ઉંબરાનુ રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 
 
જાણો ઉંબરાનુ મહત્વ 
ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર 
 
ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે.
 
કેવી રીતે ઘરના ઉંબરાની પૂજા 
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments