rashifal-2026

New Year 2024: નવા વર્ષના દિવસે ખરીદો આ વસ્તુઓ, દેવી લક્ષ્મીની આખું વર્ષ રહેશે કૃપા

Webdunia
સોમવાર, 1 જાન્યુઆરી 2024 (09:10 IST)
New Year 2024: નવું વર્ષ શરૂ થવાનું છે. દરેક જણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે નવું વર્ષ આપણા બધા માટે નવી આશાઓ અને નવી તકો લઈને આવે છે. આ વર્ષ દરેક માટે ખૂબ જ ખાસ છે. કેટલાક લોકો આ સમય દરમિયાન ઘરમાં પૂજાનું પણ આયોજન કરે છે જેથી પરિવારમાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે. કેટલાક લોકો જીવનમાં કંઈક નવું કરવાનો સંકલ્પ પણ લે છે. સામાન્ય રીતે લોકો નવા વર્ષમાં તેમના અધૂરા કામ પૂરા કરવાની યોજના બનાવે છે. નવા વર્ષ નિમિત્તે અવનવી વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. જો કે, કેટલીક એવી વસ્તુઓ છે જે નવા વર્ષ પર ખરીદવી શુભ માનવામાં આવે છે. આવો જાણીએ નવા વર્ષના શુભ અવસર પર કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ.
 
તુલસીનો છોડ - હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવે છે. જો તમે નવા વર્ષ પર તુલસીનો છોડ ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
દક્ષિણાવર્તી શંખ - હિંદુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. એટલા માટે લોકો વારંવાર નવા વર્ષ પર દક્ષિણવર્તી શંખ ઘરે લાવે છે. જેના કારણે આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
 
મોર પંખ - નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિએ મોર પીંછાની ખરીદી કરવી જ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને મોરનું પીંછ ખૂબ જ પ્રિય છે અને તેને ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
 
નાનું નાળિયેર - નવા વર્ષ પર એક નાળિયેર ખરીદો અને પૂજા પછી તેને તિજોરીમાં મુકો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ પરિવારમાં સમૃદ્ધિ આવશે.
 
ઘાતુનો કાચબો - તમે નવા વર્ષ પર મેટલ ટર્ટલ પણ ખરીદી શકો છો. તે સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ કાચબો હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમજ તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ઘણી પ્રગતિ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments