Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2023: મૌની અમાવસ્યાના દિવસે કરો રાશિ મુજબ દાન, મળશે મનપસંદ વરદાન

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (18:10 IST)
Mauni Amavasya 2023: માઘ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. હિંદુ ધર્મ અનુસાર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન ધારણ કરીને સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને દાન અન્ય દિવસો કરતાં હજારો ગણું વધુ ફળ આપે છે. આ વર્ષે મૌની અમાવસ્યાએ 21 જાન્યુઆરીએ  ઉજવાશે.  આ દિવસે કરવામાં આવેલ દાન અખૂટ ફળ આપે છે. જ્યોતિષી  મુજબ  આવો જાણીએ કે આ મૌની અમાવસ્યા પર કઈ રાશિને કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે. .
 
મેષ :- મેષ રાશિનો  રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તેથી મૌની અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોએ તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
 
વૃષભ રાશિ :- વૃષભનો  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના વ્યક્તિએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
મિથુન:- મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી આ દિવસે મિથુન રાશિના લોકોએ કોઈપણ સ્ત્રીને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને અનાજની કમી નહીં રહે.
 
સિંહ -  સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે તેથી અમાવાસ્યાના દિવસે સિંહ રાશિના લોકો સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરે તો માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
 
કન્યા - કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે, તેથી કન્યા રાશિના જાતકોએ પ્રાણીઓને લીલા ચાર ખવડાવવા જોઈએ. આ સાથે કઠોળ, તિલકૂટ વગેરેનું દાન પણ કરવું જોઈએ.
 
તુલાઃ- તુલા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે, તેથી તુલા રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે અને તેથી મૌની અમાવસ્યાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
ધનુ - ધનુ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ ગુરુ છે. તેથી મૌની અન્વાસ્યાના શુભ અવસરે કોઈ મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરો.
 
મકર - શનિ મકર રાશિના જાતકોનો સ્વામી ગ્રહ છે.  તેથી મૌની અમાવસ્યાના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
 
કુંભ - કુંભ રાશિના જાતકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા વ્યવસાયમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
 
મીન - મૌની અમાવસ્યાના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મીન રાશિના જાતકોના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા નહીં આવે
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments