rashifal-2026

Mauni Amavasya 2023: મૌની અમાવસ્યાના દિવસે કરો રાશિ મુજબ દાન, મળશે મનપસંદ વરદાન

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (18:10 IST)
Mauni Amavasya 2023: માઘ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. હિંદુ ધર્મ અનુસાર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન ધારણ કરીને સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને દાન અન્ય દિવસો કરતાં હજારો ગણું વધુ ફળ આપે છે. આ વર્ષે મૌની અમાવસ્યાએ 21 જાન્યુઆરીએ  ઉજવાશે.  આ દિવસે કરવામાં આવેલ દાન અખૂટ ફળ આપે છે. જ્યોતિષી  મુજબ  આવો જાણીએ કે આ મૌની અમાવસ્યા પર કઈ રાશિને કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે. .
 
મેષ :- મેષ રાશિનો  રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તેથી મૌની અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોએ તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
 
વૃષભ રાશિ :- વૃષભનો  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના વ્યક્તિએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
મિથુન:- મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી આ દિવસે મિથુન રાશિના લોકોએ કોઈપણ સ્ત્રીને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને અનાજની કમી નહીં રહે.
 
સિંહ -  સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે તેથી અમાવાસ્યાના દિવસે સિંહ રાશિના લોકો સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરે તો માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
 
કન્યા - કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે, તેથી કન્યા રાશિના જાતકોએ પ્રાણીઓને લીલા ચાર ખવડાવવા જોઈએ. આ સાથે કઠોળ, તિલકૂટ વગેરેનું દાન પણ કરવું જોઈએ.
 
તુલાઃ- તુલા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે, તેથી તુલા રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે અને તેથી મૌની અમાવસ્યાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
ધનુ - ધનુ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ ગુરુ છે. તેથી મૌની અન્વાસ્યાના શુભ અવસરે કોઈ મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરો.
 
મકર - શનિ મકર રાશિના જાતકોનો સ્વામી ગ્રહ છે.  તેથી મૌની અમાવસ્યાના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
 
કુંભ - કુંભ રાશિના જાતકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા વ્યવસાયમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
 
મીન - મૌની અમાવસ્યાના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મીન રાશિના જાતકોના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા નહીં આવે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments