Dharma Sangrah

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Webdunia
શનિવાર, 17 જાન્યુઆરી 2026 (18:44 IST)
મૌની અમાવસ્યા એ વિશેષ તિથિઓમાંથી એક છે જેમા પૂજા-પાઠ, વ્રત, દાનપુણ્ય અને આધ્યાત્મિક ઉત્થાનનુ ખૂબ મહત્વ રહે છે. હિન્દુ ધર્મના ગ્રંથોમા કહેવામાં આવ્યુ છે કે આ દિવસે પિતૃ ધરતી પર વાસ્ત કરે છે. આવામાં તેમના વંશજોને તેમની આત્માની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને પૂજા જરૂર કરવી  જોઈએ. સાથે જ મૌની અમાવસ્યાની સાંજે પિતરોના નામનો દિવો પણ જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
પિતરો માટે કરો આ ઉપાય 
મૌની અમાવસ્યાના દિવસે પિતરોના નામથી તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી પિતરોને આત્મિક શાંતિ પણ મળે છે. એવુ માનવામાં આવે છે કે જે પૂર્વજોના નામ પણ તમે નથી જાણતા તેમને પણ આ દિવસે તર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે.  તર્પણ તમે પોતે પણ કરી શકો છો કે પછી પંડિતની મદદ પણ લઈ શકો છો.  આ દિવસે દાનનુ પણ ખૂબ મહત્વ રહે  છે. એવુ કહેવાય છે કે આ દિવસે વસ્ત્ર દાન કે ભોજન  દાનથી તમારા પૂર્વજોને યમલોકમાં તેનો સીધો લાભ મળે છે અને પિતૃ તમને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત તલનુ દાન પણ કરવુ જોઈએ. 
 
દિવો કંઈ દિશામાં પ્રગટાવવો જોઈએ ?
આ દિવસે સાંજે દિવો પણ પ્રગટાવવો જોઈએ. તેનાથી પિતરોની આત્માને શાંતિ મળે છે. જાતકે સાંજના સમયે ઘરના દરવાજાના ખૂણા પર દિવો પ્રગટાવવો જોઈએ. સાથે જ યાદ રાખો કે આ દિવો દક્ષિણ દિશામા પ્રગટાવો. કારણ કે આ દિશા યમને સમર્પિત હોય છે. સાથે જ આ દિવસે પીપળાના ઝાડ પર જળ જરૂર ચઢાવવુ જોઈએ.  એવુ કહેવાય છે કે પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. તેનાથી પણ  પિતૃ પ્રસન્ન થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vasant Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

લવિંગનું પાણી પીવું કેટલું ફાયદાકારક છે, શું આને પીવાથી વજન ઓછું થાય છે, જાણી લો ક્યારે અને કેટલા દિવસ સુધી પીવું જોઈએ

Paan Thandai- સ્વાદિષ્ટ પાન ઠંડાઈ કેવી રીતે બનાવવી

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

Tapping Benefits- 30 વર્ષની ઉંમર પછી, શરીરના આ 2 ભાગો પર ટેપ કરો અને જાદુ જુઓ

વધુ જુઓ..

નવીનતમ

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Vasant Panchami Wishes, Quotes & Shayari in Gujarati | વસંત પંચમીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments