Dharma Sangrah

કેવડા ત્રીજ 2022 - કેવડાત્રીજના શુભ મુહુર્ત? જાણી લો આ જરૂરી નિયમ

Webdunia
શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (12:55 IST)
kevda Trij 2022- હરતાલિકા તીજ કે કેવડાત્રીજનો વ્રત ખૂબ અઘરું હોય છે. આ વ્રતનો પૂર્ણ ફળ મળે તેના માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. ભાદરવા મહીનામાં ઘણા મુખ્ય તહેવાર અને પિતૃ પક્ષ પડે છે. ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરતાલિકા ત્રીજ કે કેવડાત્રીજ ઉજવાય છે. કેવડાત્રીજ વ્રત કુમારી અને 
સૌભાગ્યવતી મહિલાઓ  કરે છે. કેવડાત્રીજ તીજ વ્રત ઉપવાસ નિરાહાર અને નિર્જલા કરવામાં આવે છે. સુહાગન પતિની લાંબી ઉમ્ર મેળવવા અને કુંવારી છોકરી સારો વર મેળવવા માટે કેવડાત્રીજનો વ્રત રાખે છે. પૌરાણિક કથાના મુજબ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે માતા પાર્વતી દ્વારા સૌ પ્રથમ કરવામાં આવ્યુ હતુ.  
 
એવુ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી મહિલાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
કેવડાત્રીજના શુભ મુહુર્ત (KevdaTrij muhurat 2022) 
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 ઓગસ્ટ, સોમવારના રોજ બપોરે 03:20 વાગ્યાથી શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ બપોરે 03:33 સુધી ચાલુ રહેશે. 
 
હરતાલિકા તીજ ઉદયની તારીખના આધારે 30 ઓગસ્ટના રોજ હશે. આ દિવસે સવારે 06:05 થી 08:38 અને સાંજે 06:33 થી 08:51 સુધી પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે.
 
કેવડાત્રીજના નિયમ KevdaTrij Rules 
- હરતાલિકા ત્રીજ (કેવડાત્રીજ) નો વ્રત નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે. ગર્ભવતી મહિલા કે બીમાર મહિલાઓ ફળાહાર કરી શકે છે. 
- એવુ કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવુ પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. સાથે જ જેના ઘરમાં સૂતક હોય કે કોઈ બીજા કારણથી પૂજા નથી કરી શકતા ત્યારે પણ તે વ્રત જરૂર કરવું. 
- હરતાલિકા ત્રીજના વ્રતમાં સુવુ વર્જિત છે. વ્રત કરનારા ન તો દિવસમાં સુવુ અને ન રાતમાં સુવુ. આ વ્રતમાં રાત્રિ-જાગરણ કરી ભગવાનના ભજન-પૂજન કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments