Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karwa Chauth Katha- કરવા ચોથ વ્રતમાં શુ કરશો ?(કથા વીડિયો)

Webdunia
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. સ્ત્રીયો આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુરૂપ રાખવામાં આવે છે. આ માન્યતાઓમાં થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો તેનો એક જ હોય છે - પતિનું દીર્ઘ આયુષ્ય. અહીં અમે તમને વ્રત કરવાની વિધિ બતાવી રહ્યા છીએ.

- કરવા ચોથમાં જોઈતી જરૂરી સામગ્રીને ભેગી કરો. Also Read- કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી

Karwa chauth 2021- કરવા ચોથના દિવસે ના કરવી આ 10 ભૂલોં

- વ્રતના દિવસે સવારે સ્નાન વગેરે કરીને આ સંકલ્પ બોલીને કડવા ચોથના વ્રતનો પ્રારંભ કરો.

' મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્તયે કરક ચતુર્થી વ્રતમહં કરિષ્યે.'


- આખો દિવસ નિર્જળ રહો.


- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો.

- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો

- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.

- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.

- પાણીથી ભરેલો લોટો મુકો.

 

- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.

- કરવા પર સ્વસ્તિક બનાવો.

- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.


' નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે'

- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.

- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.

- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.

- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.

- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.


વ્રત કથા
 
ખૂબ સમય પહેલાની વાત છે, એક શાહુંકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલો પ્રેમ કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. તેના લગ્ન પછી કરવા ચોથ પર  તેમની બહેન  પિયરમાં આવે છે.
 
સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘરે  આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જલ વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.
 
સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચાયણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જોતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.
 
તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.
અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકત જણાવે છે કે તેનું કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.
 
હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેની આસપાસ ઉગનારી ઘાસને  હટાવતી જાય છે.
 
એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીયો કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી 'યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો' એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.
 
આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પત્ની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને તેની ભાભી પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.
 
હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments