Dharma Sangrah

Karwa chauth - કેવી રીતે કરશો કરવા ચોથ?

Webdunia
બુધવાર, 8 ઑક્ટોબર 2025 (14:05 IST)
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. સ્ત્રીયો આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુરૂપ રાખવામાં આવે છે. આ માન્યતાઓમાં થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો તેનો એક જ હોય છે - પતિનું દીર્ઘ આયુષ્ય. અહીં અમે તમને વ્રત કરવાની વિધિ બતાવી રહ્યા છીએ.
 
- કરવા ચોથમાં જોઈતી જરૂરી સામગ્રીને ભેગી કરો.
 
- વ્રતના દિવસે સવારે સ્નાન વગેરે કરીને આ સંકલ્પ બોલીને કડવા ચોથના વ્રતનો પ્રારંભ કરો.
 
'मम सुखसौभाग्य पुत्रपौत्रादि सुस्थिर श्री प्राप्तये करक चतुर्थी व्रतमहं करिष्ये।'
 
- આખો દિવસ નિર્જળ રહો.
 
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો.
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
- પાણીથી ભરેલો લોટો મુકો.
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
- કરવા પર સ્વસ્તિક બનાવો.
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.
 
'नमः शिवायै शर्वाण्यै सौभाग्यं संतति शुभाम्‌।
प्रयच्छ भक्तियुक्तानां नारीणां हरवल्लभे
 
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ

વેલેન્ટાઇન ડે પર રેડ વેલ્વેટ કૂકીઝ

કેન્સરમાં હળદર કેટલી લાભકારી ? કેવી રીતે ઉપયોગ કરવાથી ભરપૂર ફાયદો મળે છે ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments