Biodata Maker

Hanuman Chalisa 2021: જીવનના દરેક અવરોધો દૂર કરવા માટે વાંચો હનુમાન ચાલીસા

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (00:30 IST)
હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. લોકડાઉનને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. બીજી બાજુ ઈમ્યૂન સિસ્ટમનુ સંતુલન બગડવાથી જલ્દી જ રોગથી લોકો ગ્રસ્ત થઈ રહ્યા છે. આવામાં આવો જાણીએ કેવી રીતે હનુમાન ચાલીસાના પાઠ તમને ફાયદો પહોચાડી શકે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો 
 
ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાન ચાલીસા વાંચવાના લાભ 
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તના મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
- જો કોઈ આર્થિક સંકટમાં હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી પ્રસન્ન થઈને આર્થિક સંકટ દૂર કરે છે. 
- જ્યારે પણ તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ કરો તો શરૂઆત મંગળવાર કે શનિવારથી  જ  કરો.  આ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેને પૂર્ણ કરવામાં સફળતા પણ મળે છે.
- જો તમને કોઈ અજાણ્યો ડર સતાવે છે અથવા જો તમને શત્રુઓની તાકત વધતી દેખાય તો છી રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમત કૃપાથી તમને બળની પ્રાપ્તિ થશે અને જીવનનું દરેક સંકટ આપમેળે જ દૂર થઈ જશે.
-જે લોકો રાત્રે સારી ઊંઘ નથી આવતી, બિહામણા સપના આવે છે તેમણે રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની કૃપાથી ભય દૂર થશે અને મનને શાંતિ મળશે. થોડાક જ દિવસમાં સારી ઊંઘ આવવા માંડશે. 
- જો વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસાના પાઠ કરે તો તેમને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હનુમાન ચાલીસાના પાઠથી મન અને મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે, જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments