Biodata Maker

Aarti - આ રીતે કરો ભગવાનની આરતી

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2017 (18:01 IST)
કેવી રીતે સજાવવો આરતીનો થાળ ? 
 
આરતીના થાળમાં એક જળથી ભરેલો લોટો , ફૂલ, કંકુ, ચોખા, દીપક, ધૂપ, કપૂર, સાફ વસ્ત્ર, ઘંટ, આરતીની ચોપડી રાખવી જોઈએ. થાળમાં કંકુથી સ્વસ્તિકની આકૃતિ બનાવી લો. થાળ પીત્તળ કે તાંબાનો લેવો. 
 
 
આરતી કરવાની વિધિ 
 
1. ભગવાન સામે આરતી ફેરવતી વખતે  ૐ જેવી આકૃતિ બનવી જોઈએ  
2. જુદા જુદા દેવી-દેવાતાઓ સામે આરતી ઉતારવાની  સંખ્યા પણ જુદી  છે જેવી કે.. 
- ભગવાન શિવ સામે ત્રણ કે પાંચ વાર ઉતારવી 
- ભગવાન ગણેશ સામે બાર વાર  ઉતારવી 
- ભગવાન રૂદ્ર સામે ચૌદ વાર  ઉતારવી 
- ભગવાન સૂર્ય સામે સાત વાર  ઉતારવી 
- ભગવતી દુર્ગા સામે નવ વાર  ઉતારવી 
- બીજા દેવતાઓ સામે સાત વાર ઉતારવી 
 
3. જો આરતીને ફેરવવાની  વિધિમાં કોઈ મુશ્કેલી હોય તો આગળ આપેલ વિધિથી કોઈ પણ દેવી કે દેવતાની આરતી કરી શકાય છે. નાભિ દેશમાં બે વાર અને મુખમંડળમાં એક વાર  ઉતારવી  જોઈએ. આ ક્રમને સાત વાર કરવી જોઈએ. સૌથી પહેલા ભગવાનની મૂર્તિના ચરણોમાં ચાર વાર નાભિમાં બે વાર અને મુખમંડળમાં એક વાર  ઉતારવી  જોઈએ. એ પછી દેવમૂર્તિના સામે આરતીને ગોળાકાર સાત વાર  ઉતારવી  જોઈએ. 
 
4. પદ્મ પુરાણમાં આરતી માટે કહ્યું છે કે  કંકુ, કપૂર, ઘી,અને ચંદનની સાત પાંચ બત્તી બનાવવી કે રૂ અને ઘીની બત્તી  બનાવી શંખ , ઘંટ વગેરે વગાડતા આરતી કરવી જોઈએ. 
 
5. ભગવાનની આરતી પૂરી થયા  પછી થાળની ચારે બાજુ જળ ફેરવવુ જોઈએ, જેથી  આરતી શાંત થઈ  જાય છે. 
 
6. આરતી પૂર્ણ થયા પછી બધાને આરતી આપવી  જોઈએ 
 
7. બધા ભક્ત આરતી લે છે. આરતી લેતા સમયે ભકત એમના બન્ને હાથને નીચેકરી ઉંધા કરી જોડે છે. આરતી પર ઘુમાવીને માથા પર લગાડે છે. એની એ  માન્યતા છે કે ઈશ્વરની બધી શક્તિઓ આ જ્યોતમાં છે જે શક્તિનો  ભાગ ભક્ત માથા પર લે છે. એક બીજી માન્યતા મુજબ આનાથી ઈશ્વરની નજર ઉતારાય છે. જેનુ  ખરુ  કારણ ભગવાનના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિનો છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ

Happy Promise Day 2026 Shayari: હું દરેક ક્ષણે તારી સાથે રહેવાનું વચન આપું છું, પ્રોમિસ ડે પર દિવસની શરૂઆત યાદગાર બનાવવા પાર્ટનરને મોકળો આ રોમાંટિક પ્રોમિસ ડે શાયરીઓ

વેલેન્ટાઇન ડે પર રેડ વેલ્વેટ કૂકીઝ

કેન્સરમાં હળદર કેટલી લાભકારી ? કેવી રીતે ઉપયોગ કરવાથી ભરપૂર ફાયદો મળે છે ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments