Biodata Maker

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Webdunia
શનિવાર, 30 નવેમ્બર 2024 (13:16 IST)
roti
Sanatan Dharm સનાતન ધર્મમાં એવી ઘણી પરંપરાઓ છે જે સદીઓથી ચાલી આવી છે અને જેનું પાલન આજ સુધી કરવામાં આવે છે. આ પરંપરાઓ પાછળ ધાર્મિક, વૈજ્ઞાનિક કારણો પણ માન્ય છે. જેના કારણે આપણા વડીલો આપણને તેમના વિશે જણાવતા રહે છે. આ પરંપરાઓમાંની એક એવી છે કે રોટલી ન તો રાંધવી જોઈએ અને ન તો ગણીને પીરસવી જોઈએ.
 
તમે ઘણીવાર તમારા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોટલી ક્યારેય ગણીને ન બનાવવી જોઈએ. આની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે, જેના વિશે  અમારા જ્યોતિષ અનિરુદ્ધ જોષી શું કહે છે જાણો.
 
પહેલા ગણતરી કર્યા વિના બનતી હતી રોટલી  
આજના સમયમાં ન્યુક્લિયર ફેમિલીનો પ્રચાર થવા લાગ્યો છે જેના કારણે સભ્યોની સંખ્યા ઓછી હોવાને કારણે રોટલી ગણતરી કરીને બનવા લાગી છે. જેની ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણોથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. પહેલાના જમાનામાં રોટલી બનાવતી વખતે એક રોટલી ગાયની અને એક કૂતરાની બનતી. આ ઉપરાંત  બે રોટલી  મહેમાન માટે બનાવવી નિશ્ચિત હતું. પરંતુ આજના સમયમાં આ પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે.
 
જ્યારે રોટલી ગણીને બનાવવામાં આવે છે ત્યારે વધેલો લોટ રેફ્રિજરેટરમાં મુકવામાં આવે છે જેના કારણે તેમાં બેક્ટેરિયા વધે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી વાસી લોટમાંથી રોટલી ન બનાવવી જોઈએ.
 
ધાર્મિક અને જ્યોતિષીય કારણો
જ્યારે આપણે ગણતરી કરીને રોટલી બનાવીએ છીએ, ત્યારે વધેલા લોટને  ફ્રિજમાં મૂકીએ છીએ. રોટલીને સૂર્ય અને મંગળ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યારે બચેલા લોટમાં બેક્ટેરિયા થાય છે, ત્યારે તે રાહુ સાથે સંબંધિત થઈ જાય છે. આ રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ, પરંતુ આમ કરવાને બદલે આપણે પોતે વાસી લોટની રોટલી બનાવીને ખાઈએ છીએ જેના કારણે આપણે સામાન્ય કરતા વધુ જોરથી બોલવા લાગીએ છીએ. આમ કરવાથી ઘરમાં ઝગડાની સ્થિતિ સર્જાય છે અને ઘરની શાંતિ ડહોળાય છે.
 
જો તમે ઝઘડા અને અશાંતિથી બચવા માંગતા હો, તો ક્યારેય ગણીને રોટલી ન બનાવશો. ગાય માટે એક રોટલી અને કૂતરા માટે એક રોટલી હંમેશા બનાવો આ ઉપરાંત આડકતરી રીતે આવનારા મહેમાનો માટે બે રોટલી જરૂર બનાવો.  જો આ રોટલી બચી જાય તો તેને પશુ-પક્ષીઓને ખવડાવો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments