Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dev Diwali Upay 2024: દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી

Dev Diwali Upay 2024: દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ  ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી
Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2024 (18:29 IST)
dev diwali 2024

 
Dev Deepawali Upay: કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના 84 ઘાટને દિવાઓથી સજાવવામાં આવે છે.  આ વખતે દેવ દિવાળી 15  નવેમ્બરના રોજ ઉજવાશે. 
 
પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરીને દેવતાઓને સ્વર્ગ પાછુ અપાવ્યુ હતુ. આ ખુશીમાં દેવતાઓએ આ દિવસે દિવાળી ઉજવી. એક અન્ય માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો હતો. આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે. 
 
દેવ દિવાળીના દિવસે કરો આ કામ 
 
- દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. 
 
- આ દિવસે ભગવાન વિષ્ણુનુ ચિત્ર કે મૂર્તિ પર તુલસીના 11 પાનને બાંધી દો.  એવુ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થતી નથી અને ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે. 
 
- દિવ દિવાળીના દિવસે લોટના વાસણમાં તુલસીના 11 પાન નાખીને છોડી દેવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં શુભ પરિવર્તન જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- દેવ દિવાળી, અગિયારસ, અનંત ચતુર્દશી, દેવ શયની, દેવ ઉઠની, દિવાળી, ખરમાસ, પુરૂષોત્તમ માસ, તીર્થ ક્ષેત્ર, પર્વ વગેરે ખાસ અવસર પર વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી બધા અવરોધનો નાશ થાય છે.
 
- દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળા રંગનુ કપડુ બાંધી દો. માન્યતા મુજબ આ દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે. 
 
- દેવ દિવાળીના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે. 
 
- દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન પછી દીપ-દાન જરૂર કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે દિપ દાન કરવાથી દસ યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે. 


Edited by - Kalyani Deshmukh 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

આગળનો લેખ
Show comments