Biodata Maker

ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (00:39 IST)
27 જુલાઈએ ચંદ્રગ્રહણ આવી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ભગવાનની આરાધના ન કરવી જોઈએ. અહી સુધી કે આ દરમિયાન લોકોને શુભ કામ કરવાથી પણ રોકવામાં આવે છે.  આ વખતે ચંદ્રગ્રહણ ભારત સહિત યૂરોપના મોટાભાગના વિસ્તારોમાં એશિયા.. ઓસ્ટ્રેલિયા.. આફ્રિકા પૂર્વી દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક હિંદ મહાસાગરના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે પૂરો થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે. 
 
ચંદ્ર ગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે 
 
એવુ માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ કુંવારા માટે સારુ નથી હોતુ. કારણ કે સુંદરતાનુ પ્રતીક ચંદ્રમા તો શ્રાપિત છે અને જે પણ કુંવારા છોકરા કે છોકરી તેને જુએ છે તેમના લગ્ન રોકાય જાય છે કે પછી ખૂબ મુશ્કેલીઓ પછી થાય છે. એવુ પણ કહેવાય છે કે આ દરમિયાન કરવામાં આવેલા કામથી માણસને નુકશાન અને અહિત જ થાય છે.  તેથી ચંદ્રગ્રહણ પહેલા અને ગ્રહણ સુધી કોઈપણ સારુ કામ ન કરવુ જોઈએ. 
 
ક્યા ક્યા કામ ન કરવા જોઈએ.. 
 
- હિન્દુ માન્યતા મુજબ ચંદ્ર ગ્રહણના સમયે કંઈ પણ ખાવુ પીવુ ન જોઈએ. 
- ચપ્પુ, કાતર, સોઈ-દોરાનો પ્રયોગ ન કરવો જોઈએ. આ નિયમ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર લાગૂ થાય છે. 
- ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવુ જોઈએ. 
- ચંદ્ર ગ્રહણ સમયે માથામા તેલ લગાવવુ, પાણી પીવુ મળ મૂત્રનો ત્યાગ વાળમાં કાંસકો, બ્રશ વગેરે કાર્ય ન કરવા જોઈએ. 
આ દરમિયાન ઊંચા સ્વરમાં મંત્રોનો જાપ કરો... આવુ કરવાથી આસપાસની નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments