Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devshayani Ekadashi 2024 Upay: દેવશયની અગિયારસ પર કરો આ ખાસ ઉપાય, સદા રહેશે વિષ્ણુજીની કૃપા

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (17:45 IST)
devshayni ekadashi
Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીનુ વ્રત દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે કરવામાં આવે છે.  આ વ્રત આ વર્ષે 17 જુલાઈ 2024ના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.  દેવશયની એકાદશીના દિવસથી જ ચતુર્માસની શરૂઆત થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ ચાર માસ માટે યોગ નિદ્રામાં પાતાળ લોક જતા રહે છે.  ત્યા સુધી આ સુષ્ટિનુ સંચાલન ભગવાન શિવ કરે છે.  દેવશયની એકાદશીનુ વ્રત કરવાથી જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સદા ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય બતાવ્યા છે. 
 
આવો જાણીએ દેવશયની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
- દાંમ્પત્ય જીવન માટે  
દેવશયની એકાદશીના દિવસે તુલસીના ઝાડ પાસે ઘી નો દીવો પ્રગટાવો. આ સાથે જ તુલસી માતાને લાલ ચુંદદી અર્પિત કરો અને આરતી કરો.. આવુ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે અને જીવનસાથી સાથે પ્રેમ વધે છે.   
 
- બિઝનેસ નો પ્રોગેસ કરવા 
જો તમે વેપાર કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં  તમને ખૂબ પ્રોફિટ થાય તો દેવશયની એકાદશીના દિવસે સ્નાન પછી સૂર્ય દેવતાને જળ અર્પિત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે કેટલાક સિક્કા મુકો અને પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મુકો. આમ કરવાથી તમને બિઝનેસમાં અપાર સફળતા મળશે.  
 
સુખ અને શાંતિ માટે  
 દેવશયની એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભગવાનને કેળા અને મીઠાઈઓ ચઢાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. 
 
મુશ્કેલીઓ દૂર કરવા માટે 
જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શ્રી હરિની કૃપાથી તમારી બધી તકલીફો ક્ષણભરમાં દૂર થઈ જશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments