Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaturmas 2021- ચાતુર્માસમાં કરો આ 5 નિયમોનો પાલન, ધન-વૈભવની પ્રાપ્તિ થશે

Webdunia
સોમવાર, 19 જુલાઈ 2021 (09:36 IST)
ચાતુર્મસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે. હિન્દુ પંચાગના મુજબ આષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. ચાતુર્માસથી ચાર મહિનાના સમય છે જેમાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિક મહીના આવે છે. આ વખતે 20 જુલાઈથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યુ છે. ધાર્મિક માન્યતા મુજબ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રાસાનમાં જાય છે. આ દરમિયાન તે તેમનો કાર્યભર ભગવાન શિવને સોંપે છે. ભગવાન વિષ્ણુ નિદ્રાસનથી દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે અને પુન: સૃષ્ટિનો લાલન-પાલન કરે છે. શસ્ત્રોમાં ચાતુર્માસ માટે કેટલક ખાસ નિયમ જણાવ્યા છે જેના પાલન કરવાથી જાતકોને જગતના પાળનહાર ભગવાન વિષ્ણુજીનો આશીર્વદ મળે છે. આવો જાણીએ ચાતુર્માસમાં કયાં નિયમોનો પાલન કરવો જોઈએ.
 
માન્યતા મુજબ ચાતુર્માસના દરમિયાન કાળા અને નીલા રંગના વસ્ત્ર નહી ધારણ કરવા જોઈએ. આ વસ્ત્રોને ધારણ કરવાથી દોષ લાગે છે અને આ દોષની શુદ્ધિ ભગવાન સૂર્યનારાયણના દર્શનથી હોય છે. આ સમયે તમે ઉપરોક્ત રંગન વસ્ત્ર ધારણ ન કરવું. 
 
ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુજીનો સ્મરણ કરવો જોઈએ. આ સમયેમાં કોઈને ખરી-ખોટી ન બોલવુ જોઈએ. ચાતુર્માસમાં બીજાની નિંદા કરવી કે નિંદાને સાંભળવું પાપ ગણાય છે. તમારા મનમાં કોઈના પ્રત્યે ખોટા વિચર ન લાવવું. 
 
માન્યતા મુજબ દેવશયની એકાદશીથી લઈને દેવઉઠની એકાદશી સુધી બેડ કે ખાટલા પર નહી સૂવો જોઈએ. પણ આ દરમિયાન ધરતી પર પથારી લગાવીને શયન કરવો જોઈએ. આ નિયમનો પાલન કરનાર જાતક ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ મળે છે. 
 
ચાતુર્મસના દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોને પણ નહી ખાવુ જોઈએ જે વ્યક્તિ આવુ કરે છે તે પાપના ભાગી ગણાય છે. જ્યારે મૌન રહીને ભોજન કરનાર જાતકને પુણ્ય મળે છે. જો પાકેલા અન્નમાં જીવ-જંતુ પડી જાય તો તે અન્ન અશુદ્ધ થઈ જાય છે તેનો સેવન ન કરવું. 
 
ચાતુર્માસના દરમિયાન નૈતિક મૂલ્યો અને બ્રહ્મચર્યનો પાલન કરવું. ત્યાગ, તપસ્યા, જપ ધ્યાન, સ્નાન, દાન અને પુણ્યના કાર્ય આ સમયેમાં લાભકારી અને પુણ્યકારી ગણાય છે.  

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments