Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 દિવસ સવારે ખાલી પેટ પી લો આ પાણી, દિવાળી સુધી પેટ થશે સેટ પછી મન ભરીને ખાવ તમારી ભાવતી વસ્તુઓ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (13:41 IST)
તહેવાર પર મોટેભાગે લોકો વધુ અને અનહેલ્ધી ખાઈ લે છે કે જો દિવસે પેટ ખરાબ થાય કે તહેવારના દિવસે ગેસ, એસીડીટી અને બ્લોટિંગ થવા લાગે છે. તેથી સારુ રહેશે કે તમારુ પેટ અને શરીરને પણ ફેસ્ટિવલના હિસાબથી તૈયાર કરી લો. હવેથી સતત 2  દિવસ સુધી સવારે દૂધની ચા પીવાને બદલે તમે અજમાની ચા પીવો. તેનાથી તમારા શરીર અને પેટ ને ફાયદો થશે.  અજમાની ચા પીવાથી અનેક બીમારીઓ જેવી કે ગેસ, એસીડીટી, છાતીમાં બળતરા અને બ્લોટિંગની સમસ્યા દૂર થશે સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ મળશે. જાઓ કેવી રીતે બને છે અજમાનુ પાણી અને કેવી રીતે પી શકો છો. 
 
અજમાનુ પાણી બનાવવાની રીત 
આ માટે તમે રાત્રે એ ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો નાખીને પલાળી દો. સવારે આ પાણીને અજમા સાથે જ ઉકાળી લો કે હળવુ ગરમ કરી લો.  હવે તેને ગાળી લો અને પાણીને સાધારણ ગરમ પી લો. તમારે આ પાણીને સવારે ખાલી પેટ પીવુ જોઈએ. તેના લગભગ 30 મિનિટ સુધી કોઈ બીજી વસ્તુ ન ખાશો.  
 
અજમાનુ પાણી પીવાના ફાયદા 
વજન ઘટાડવામાં મદદ - અજમાનુ પાણી પીવાથી જાડાપણુ ઓછુ થાય છે. તેનાથી મેટાબોલિજમ ઝડપી બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તહેવાર પહેલા અજમાનુ પાણી પીવાથી પેટ સેટ રહેશે અને થોડુ વજન પણ ઓછુ થશે. 
 
ગેસમાં રાહત - જે લોકોને ગેસ અને એસીડીટીની સમસ્યા રહે છે તેમને સવારે અજમાનુ પાણી જરૂર પીવુ જોઈએ. અજમાનુ પાણી પીવાથી ગેસની સમસ્યામાં આરામ મળશે. અજમાની અંદર જોવા મળનારા પોષક તત્વ પાકન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરે છે.  
 
અસ્થમામાં લાભકારી - આ ઋતુમાં લોકો તહેવાર પર મોટેભાગે બીમાર પડે છે. આવામાં અજમાનુ પાણી તમને શ્વાસ, ગળા અને નાક સાથે જોડાયેલ બીમારીઓથી બચાવે છે. અજમાની તાસીર ગરમ હોય છે. જે અસ્થમાના દર્દી માટે દવા તરીકે કામ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments