Webdunia - Bharat's app for daily news and videos

Install App

૭૦ વર્ષ પછી શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ ત્રિમૂર્તિ વિજયમૃતસિદ્ધિયોગ

Webdunia
શનિવાર, 5 જુલાઈ 2014 (14:31 IST)
૭૦ વર્ષ પછી શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ, ૨૭મી જુલાઇ, રવિવારે ત્રિમૂર્તિ વિજયમૃતસિદ્ધિયોગ આવી રહ્યો છે. આ યોગમાં પ્રારંભ કરેલું કાર્ય અનંત બની જાય છે અને અશક્યમાંથી શક્ય કરનાર બીજી રીતે કહીએ તો 'ઝીરોમાંથી હીરો' બનાવનારું બની રહેશે. એવા સેંકડો લોકોના જીવનમાં આ યોગ પ્રથમવાર આવતો હશે જેની વય ૭૦ વર્ષથી ઓછી છે.

આ અંગે માહિતી આપતા જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે ઋષિ-મુનિઓએ જે ભોજપત્ર ઉપર લખ્યું છે કે પુષ્ય નક્ષત્ર સર્વમાં બળવાન છે. જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સેંકડો અશુભ યોગો નષ્ટ થઇ જાય છે. ૭૦ વર્ષે એવો યોગ થઇ રહ્યો છે કે જેમાં ચંદ્ર, સૂર્ય, ગુરુ - ત્રણેય એક જ દિવસે પુષ્યમાં છે અને તે પણ આ વર્ષે રવિવાર આવે છે. આ યોગઅશક્યને પણ શક્ય બનાવનાર અને 'ઝીરોમાંથી હીરો' બનાવનારો યોગ માનવામાં આવે છે. માટે જ આને ત્રિમૂર્તિ વિજયામૃતસિદ્ધિયોગ કહેવામાં આવે છે.

આ દિવસે દૈનિક પુષ્ય નક્ષત્ર પણ રવિવારે આવી રહ્યું છે, જે પૂર્ણ બળવાન છે. સાથે જ ગુરુ પુષ્ય નક્ષત્રમાં દર તેર વર્ષે આવે જે. જે આખા વર્ષમાં બેથી ત્રણ માસ રહે છે. પણ તે ક્યા માસમાં આવે તે નિશ્ચિત નથી હોતું. એવું જ સૂર્ય પુષ્યમાં દર વર્ષે તા.૨૦થી ૩૦ જુલાઇ સુધી જ ભ્રમણ કરે છે. ત્યારે આવા સંયોગ અને રવિવારનો શુભ મહાસિદ્ધ સાધ્ય એવો યોગ બની રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે પવિત્ર એવા શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ સવારથી લઇને સાંજ સુધીનો ચિંતામણિ યોગ પ્રાપ્ત થયો છે, જે અત્યંત દુર્લભ છે. એવું પણ માનવામાં આવે છે કે આ યોગમાં જન્મેલો જાતક યુગપુરુષ અથવા તો અવતારી પુરુષ બની શકે છે. સાથે જ આ યોગમાં પ્રારંભ કરવામાં આવેલું કાર્ય અથવા કાર્યો અનંત બની જાય છે. સાથે જ આ યોગમાં કરેલા ઉદ્યોગો, વેપાર અખંડ, અનંત અને અમૂલ્ય બની જાય છે.

'આ દિવસે લગ્નાદિ કાર્યો ન કરવા' જ્યોતિષાચાર્ય રઘુનાથભાઇએ જણાવ્યું હતું કે, આ દિવસે લગ્નાદિ કાર્યો ન કરવા. આ દિવસ માટે એવું કહેવાય છે કે કરવામાં આવતી મંત્ર અનુષ્ઠાનથી એક વર્ષે મળતી સિદ્ધિ એક દિવસમાં પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન-પુણ્ય, યાત્રા, અનુષ્ઠાન કરવાથી ત્રણ જન્મનાં પાપો પણ નષ્ટ થાય છે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments