Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ઍવૉર્ડ સ્વીકારવાનો લેખકનો ઇન્કાર

Webdunia
સોમવાર, 20 જાન્યુઆરી 2020 (10:57 IST)
અમદાવાદ મિરરના એક અહેવાલ પ્રમાણે લેખક બિપિન પટેલે તેમના વાર્તાસંગ્રહ 'વાંસનાં ફૂલ' માટે અપાયેલ ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે. તેમણે આ ઇન્કાર માટે સાહિત્ય અકાદમીની સ્વાયતતાના મુદ્દાને કારણરૂપ ગણાવ્યું છે.
 
લેખકનું કહેવું છે કે 'સાહિત્ય અકાદમી વર્ષ 2003થી પોતાની સ્વાયતતા ગુમાવી ચૂકી છે અને અકાદમીમાં ચૂંટણી યોજાવી જોઈએ.'
 
'સરકારની ભૂમિકા ગ્રાન્ટ આપવા સુધી સીમિત હોવી જોઈએ.'
 
પટેલનો આરોપ છે કે સરકાર દ્વારા અકાદમીમાં સ્થિતિ પૂર્વવત્ બનાવવાના કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા.
 
અકાદમીના વડા વિષ્ણુ પંડ્યાનું કહેવું છે કે 'ચૂંટણી દ્વારા જ અકાદમીને સ્વાયતતા મળે તે ખોટી માન્યતા છે. આપણા દેશમાં દરેક રાજ્યમાં અકાદમીઓ જે-તે સરકાર જ ચલાવે છે.'
 
નોંધનીય છે કે બિપિન પટેલને વર્ષ 2017ની વાર્તા કૅટેગરી અંતર્ગત આ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.
 
નવેમ્બર-2019માં જાહેર થયેલા પુરસ્કાર તા. 29મી જાન્યુઆરીના એનાયત થશે.
 
પટેલ પૂર્વ અંડર-સેક્રેટરી છે અને વર્ષ 2010માં નિવૃત્ત થયા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments