Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ambaji Way- યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો વધુ ૧૦ દિવસ સુધી બંધ રહેશે

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (16:46 IST)
દાંતાથી અંબાજી રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાંટા ઉપર અકસ્માતો નિવારવા માટે પ્રોટેકશન વોલ, રસ્તાને પહોળો કરવાની તેમ જ ઘાંટો ઉતારવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી તેમ જ સદરહૂ હયાત રસ્તાની હીલ કટિંગ માટે ત્રિશુળીયા ઘાંટામાં ચેઇનેજ કિ.મી. ૧૦૦/૮૦૦ થી ૧૦૩/૦૦ રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફિક ચાલુ રાખી શકાય તેમ નથી. આ રસ્તો અકસ્માત સંભવિત હોઇ અંબાજી જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર સંદીપ સાગલે, (આઇ.એ.એસ.)ને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અંબાજીનો રસ્તો બંધ કરી તેના વિકલ્પે આ રસ્તા ઉપરનો વાહનવ્યવહાર દાંતા-કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચિખલા-અંબાજી પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી દિન-૧૦ સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ મુજબ સજાને પાત્ર ઠરશે.

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments