Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિન્નરનો વેશ ધારણ કરી ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના નામે ડરાવતો, વિધીના નામે દાગીના લૂંટતો શખ્સ ઝડપાયો

Ahmedabad crime news
Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2024 (18:25 IST)
ss
ગુજરાતમાં નકલી કિન્નરો ભિક્ષા વૃત્તી કરતાં અનેક વખતે પકડાય છે. લોકોના ઘરમાં માસીબા બનીને ઘૂસી જાય છે અને ઘરમાં મેલી વિદ્યા છે એમ કહી વિધિ કરવાના બહાને સોનાના દાગીનાની લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વેશ પલટો કરીને લોકોના ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના નામે ડરાવી સોનાના દાગીનાની ચોરી કરતાં એક ઈસમને પોલીસે પકડી પાડ્યો છે. 
 
અમદાવાદમાં 53500ની લૂંટ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 15મી માર્ચે ફરિયાદીના ઘરે એક માસીબા આવ્યા હતાં. તેણે ઘરમાં મેલી વિદ્યા કરેલી છે એમ કહીને વિધિ કરવા કહ્યું હતું. આ માસીબાએ ફરિયાદીએ ગળામાં પહેરેલી સોનાની 9 ગ્રામની 50 હજાર રૂપિયાની કિંમતની ચેઈન અને રોકડા 3500 રૂપિયા એક કપડામાં મુકાવ્યા હતાં. આ ચેઈન અને પૈસા વિધિ પત્યા બાદ પરત આપવાનો વિશ્વાસ અપાવ્યા બાદ ઘરમાં વિધિ કરીને મેલુ ઘરની નજીકના ચાર રસ્તે નાંખવા જવાનું કહ્યું હતું. માસીબાએ ફરિયાદીને પાર્કિંગમાં ઉભા રાખ્યા હતાં. ત્યાર બાદ માસીબા ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. 
 
પોલીસે આરોપીને રાજકોટથી ઝડપ્યો
આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાને શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસે ગુનાના સ્થળ તેમજ આસપાસના એરિયાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, તે બાતમીને આધારે આરોપી જીતુ પરમાર મુળ વતન પડધરી રાજકોટનો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેને પડધરી ખાતેથી ઝડપી લઈ 47500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપી અગાઉ સાબરમતિ પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશન તથા નાગપુરમાં આ પ્રકારના ગુના હેઠળ ઝડપાયેલો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments