Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 ટકાથી ઘટીને 6 ટકા થયોઃ AMC કમિશનર

Ahmadabad news
Webdunia
સોમવાર, 4 મે 2020 (15:36 IST)
શહેરમાં 2 મેની સાંજથી લઈ 3 મેની સાંજ સુધીમાં કોરોનાના 274 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જ્યારે 71 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે કુલ દર્દી 3,817 અને મૃત્યુઆંક 208 થયો છે. શહેરમાં કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજે લોકડાઉનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. કેસ ડબલિંગ રેટ અંગે વાત કરીએ તો 15 એપ્રિલ સુધી 4 દિવસે કેસ ડબલ થતા હતા જે 27-28 એપ્રિલે 8 દિવસે થવા લાગ્યા હતા. એક્ટિવ કેસનો વૃદ્ધિદર પણ 10 ટકાથી ઘટીને 8 ટકા થયો હતો અને હવે તે 6 ટકા થયો છે, જ્યારે હવે કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ગયો છે. આ વૃદ્ધિ દરને મેના અંત સુધીમાં ઘટાડીને ઝીરો ટકા સુધી લઈ જવો છે. એક સાથે કેસોમાં વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર પહોંચી ન શકે જેથી ઈન્ફેક્શન ઘટાડવું ખૂબ જરૂરી છે. 18 એપ્રિલે 250 કેસ સામે આવતા હતા, જો 4 દિવસનો ડબલિંગ રેટ હોય તો રોજ 2000 અને 8 દિવસ ડબલિંગ રેટ હોય તો રોજના 1000 કેસ આવે પરંતુ એટલા આવતા નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

આગળનો લેખ
Show comments