Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની રથયાત્રાને 138 વરસ થયા

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2015 (16:02 IST)
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વર્ષે નીકળનારી રથયાત્રા એ અમદાવાદની ---મી રથયાત્રા હશે. રથયાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે. આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે. તેની સાથે યાત્રામાં જોડાયેલાં શરણગારેલા હાથીઓ, સજાવેલી ટ્રકો, વિવિધ કરતબો કરતાં અખાડાના યુવાનો અને ભજનમંડળીઓનું પણ વિશેષ આકર્ષણ રહે છે. પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો વિશેષ રિવાજ છે. આ ખેસ પણ કેટલાંય દિવસો પહેલાં બનાવવાના શરૂ કરી દેવામાં આવે છે. રથયાત્રામાં હજારો મણ ફણગાવેલા મગ, બોર, જાંબુ અને કેરીની પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જ્યારે મોસાળ સરસપુર ખાતે પધારે છે, ત્યારે તેમનું મોસાળું કરવામાં આવે છે. તેમને વસ્ત્રો, સોનાનાં ઘરેણાં વગેરે ભેટ આપવામાં આવે છે. સરસપુર ખાતે ભક્તોના જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે ગુજરાતનાં ઘણાં નાનાં-મોટાં ગામડાંઓ અને શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે અને નગરયાત્રાએ નીકળતાં શ્રી જગન્નાથજીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments