Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM રૂપાણીની હાજરીમાં જ જગન્નાથ મંદિરનાં મહંતે રથ પર ત્રણ લોકોને થપ્પડ મારી

Webdunia
સોમવાર, 26 જૂન 2017 (14:59 IST)
શહેરમાં આયોજીત ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની શરુઆત કરાવવા દરમિયાન જ જગન્નાથજીના રથ પર એકત્ર થયેલી ભીડથી મહંત દિલીપદાસજી ગુસ્સે ભરાયા હતાં અને મુખ્યમંત્રી રૂપાણી સહિત મંત્રીઓની હાજરીમાં જ રથ પર સવાર ત્રણ લોકોને લાફા ઝીંકી દીધા હતાં. આ સમગ્ર ઘટના ત્યા શૂટિંગ કરી રહેલા મીડિયાના કેમેરામાં કેદ થઇ હતી. રવિવારે સવારે વિજય રૂપાણી સાથે મંત્રી મંડળના સભ્યો ઉપરાંત ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઘનરાજ નથવાણી ભગવાન જગન્નાથની અમદાવાદ ખાતે યોજાનારી 140મી રથયાત્રામાં ભાગ લેવા મંદિર આવી પહોંચ્યા હતાં. ત્યાર બાદ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી સહિત તમામ મહાનુભાવો ભગવાનના રથ ઉપર પુજા કરવા માટે પહોંચ્યા હતા. જેના કારણે રથ ઉપર એકદમ ભીડ વધી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ ગુસ્સે થઈ ગયા હતાં. જો કે તેઓ પોતાનો ગુસ્સો મહાનુભાવો ઉપર તો ઉતારી શકે તેમ ન્હોતા, તેના કારણે તેમને રથની જવાબદારી સંભાળતા ત્રણ વ્યકિઓને રથ ઉપર ચઢી લાફા ઝીંકી નીચે ઉતારી દીધા હતાં. આ સમગ્ર ઘટના મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજર સામે અને હાજરીમાં જ બની હતી. ત વર્ષની સરખામણીમાં પોલીસ વધારે હોવા છતાં વ્યવસ્થાનો અભાવ હતો. વૃધ્ધોને ખુબ દુરથી ચાલતા આવુ પડતુ હતું કારણ પોલીસે સામાન્ય માણસોના વાહન માટે રસ્તાઓ બંધ કરી દીધા હતાં.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments