Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર જશે, 15 દિવસ સુધી દર્શન નહીં થઈ શકે.

Webdunia
શુક્રવાર, 9 જૂન 2017 (12:51 IST)
જગન્નાથ મંદિરની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. આ માટેની જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે. હવે 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાણ કરશે. જગન્નાથજીની પૌરાણિક 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા.25-6-2017નાં રોજ નિકળશે.  600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજીની  પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરાશે, ત્યારબાદ જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન થશે.

જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં નીકળી હતી. આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂધરના ઘાટે નદીમાંથી જળ ભરવા અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ પૂજા બાદ કળશમાં જે જળ લાવવામાં આવશે તેનાથી ભગવાન જગન્નાથજીનો મહા જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments