Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે હરિયાળી અમાવસ્યા પર ખૂબ જ શુભ સંયોગ, જાણો પૂજાના શુભ મુહુર્ત અને ઉપાયો

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (09:47 IST)
hariyali amavasya

હરિયાળી અમાસ- હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ છે. આજે 17મી જુલાઈ સોમવારના રોજ હરિયાળી અમાવસ્યા છે. આ સાથે જ સાવનનો બીજો સોમવાર પણ છે.

આ શુભ સંયોગથી આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. કોઈપણ રીતે, સોમવારે અમાવસ્યાનું પડવું શુભ માનવામાં આવે છે. આને સોમવતી અમાવસ્યા કહે છે.
 
હિંદુ કેલેન્ડર મુજબ, આ વખતે સાવન મહિનાની અમાવસ્યા તિથિ 16મી જુલાઈએ રાત્રે 10.08 વાગ્યાથી શરૂ થઈ છે અને 17મી જુલાઈએ એટલે કે આજે સવારે 12.01 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિના કારણે, હરિયાળી અમાવસ્યાનો તહેવાર આજે 17 જુલાઈએ ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે જ સવારથી સાવન સોમવારની પૂજાનો શુભ મુહૂર્ત શરૂ થઈ ગયો છે. હવે વિજય મુહૂર્ત બપોરે 02.45 થી 03.40 સુધી છે.
 
હરિયાલી અમાસ  ઉપાય
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો.
 
Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments