rashifal-2026

રોઝા : સાચા મુસલમાનની ઓળખ

Webdunia
ગુરુવાર, 4 ઑગસ્ટ 2011 (17:10 IST)
N.D
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની શાંતિનો સંબંધ નેકી અને નેક અમલ એટલે કે સારા કર્મો સાથે છે. એટલા માટે જરૂરી છે કે માણસ નેકીના રસ્તા પર ચાલે. રોઝા બુરાઈઓ પર રોક લગાવે છે અને સીધા રસ્તે ચલાવે છે.

પવિત્ર કુરાનના પ્રથમ પારે (અધ્યાય) 'અલિમ લામ મીમ કી સુરત અલબકરહ' ની આયાત નંબર 293માં કહ્યું છે કે ' वल्लाहु य़हदी मय्यँशाउ इला सिरातिम मुस्तक़ीम।' આનો અર્થ છે- અલ્લાહ જેને ઈચ્છે છે સીધો રસ્તો દેખાડે છે.

મગફીરત (મોક્ષ) ની મંજીલ સુધી પહોચવા માટે સીધો રસ્તો છે રોજા. મગફીરત મામલો છે અલ્લાહનો અને જેવું કે મજકૂર (ઉપર્યુક્ત) આયાતમાં કેહવામાં આવ્યું છે તેના દ્વારા ધર્મ આ જ વાત જણાવે છે કે રોઝા સીધો રસ્તો છે. એટલે કે રોઝા રાખીને કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સા, લાલચ, વાણી, જેહન અને નફ્સ પર કાબુ રાખે છે તો તે સીધા રસ્તા પર જ ચાલે છે.

જેવું કે પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે રોઝા માત્ર ભુખ-તરસ પર જ કંટ્રોલ કરવાનું નથી પણ ઘમંડ, કપટ, ઝઘડો, બેઈમાની, બદનીયતી, બદતમીઝી વગેરે પર પણ કંટ્રોલ મેળવવાનું નામ છે. આમ તો રોઝા છે જ ધીરજ અને હિંમતનો પયામ. પરંતુ રોઝા સીધા રસ્તા માટેનો અહતિયામ પણ છે. નેકનીયતથી રાખવામાં આવેલ રોઝા નૂરનું નિશાન છે. સારા અને સાચા મુસલમાનની ઓળખ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Show comments