Biodata Maker

ખુદાના નેક બંદાઓની હિફાજતનું કવચ

Webdunia
N.D
રોઝા નેકીની છત્રી છે. જે રીતે છત્રી કે છાપરૂ વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે તેવી જ રીતે રોઝા પણ રોઝેદારની રક્ષાની ખાતરી આપે છે. શરત માત્ર એટલી છે કે રોઝાને ધાર્મિક આચાર સંહિતા દ્વારા રાખવામાં આવે.

અહકામે-શરીઅત તે છે કે રોઝા રાખવાથી કપટ, છળ, ફસાદ, ઝઘડો, જુઠ્ઠુ, બેઈમાનીથી બચવું જોઈએ. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ માણસ સારી નિયત અને સારા જજ્બાની સાથે રોઝા રાખે છે, અલ્લાહની રજા મેળવવા માટે રોઝા રાખે છે તો તેવું વિચારીને રોઝા રાખે છે કે અલ્લાહ બધુ જોઈ રહ્યો છે એટલે કે અલ્લાહની બીકને ધ્યાનમાં રાખીને તે રોઝા રાખે છે તો તેમાં પાકીજગી-એ-ખ્યાલાત (પવિત્ર ભાવનાઓ) ઉત્પન્ન થાય છે જે નેક અમલ દ્વારા રોઝાને તેનો પૈરોકાર બનાવે છે. એટલે કે પરહેજગારી (સંયમ અને સાત્વિક કર્મ) ની સાથે રાખવામાં આવેલ રોઝા અલ્લાહની સામે રોઝાદારની ઈમાનદારીનો તરફદાર તો છે જ, પાકીઝગી પરોપકાર પણ છે. પરહેઝગારી વડે રાખવામાં આવેલ રોઝા પોતે સિફારીશ બનીને રોઝાદાર માટે અલ્લાહની નેમતોના દરવાજા ખોલી દે છે.

પવિત્ર કુરાનના ઓગણત્રીસમા પારા (અધ્યાય)ની સુરત અલમુરસિલાતની એકતાલીસમી/ બેતાલીસમી આયાતોમાં ઉલ્લેખ છે : ' इन्नाल मुत्तक़ीना फ़ी ज़िलालिवँ व अयूनिवँ व फ़वाकिहा मिम्मा' એટલે કે ભલે પરહેજગાર (સંયમી-સત્કર્મી) છાયડામાં અને ચશ્મામાં (ઝરણામાં) રહે અને મેવામાં રહે જે તેમનો મરગૂબ (પસંદગી) હશે.

બધુ મળીને જોઈએ તો નેક અમલ (સત્કર્મ) અને પરહેઝગારી (સંયમ)ની સાથે રાખવામાં આવેલ રોઝા રોજેદારની દેનદારીની દલીલ પણ છે અને હિફાજતની અપીલ પણ છે. ચોથો રોઝો હોફાજતનું કવચ છે : અલ્લાહની હિફાજતમાં રોઝા રોઝેદારનો વકીલ છે. ઈંશા અલ્લાહ ! જેનું પરિણામ હશે ફતહ અને ફજલ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments