rashifal-2026

અલ્લાહનો પહેલો મહિનો મોહરમ

Webdunia
ઈસ્લામી એટલે કે હિજરી સનનો પહેલો મહિનો મોહરમ છે. હિજરી સનનો આગાજ આ જ મહિનાથી થાય છે. આ મહિનાને ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં શુમાર કરવામાં આવે છે. અલ્લાહના રસૂલ  હજરત મોહમ્મદ સ.અ.વ  એ આ  મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે સાથે આ મહિનાની અંદર રોજા રાખવા તે ખુબ જ સારા છે તેવું પણ જણાવ્યું છે. 
 
મુખ્તલિફ હદીસો, એટલે હજરત મુહમ્મદના કથન અને કર્મથી મોહરમની પવિત્રતા અને આની કિંમતની જાણ કરાવે છે. આવી રીતે જ હજરત મોહમ્મદ સ.અ.વ  એ એક વખત મોહરમ વિશે જણાવતાં કહ્યું હતું કે તે અલ્લાહનો મહિનો છે. તેને જે ચાર પવિત્ર મહિનાઓમાં રાખવામાં આવ્યાં છે તેમાંથી બે મહિના મોહરમ પહેલાં આવે છે. આ બંને મહિના છે જિકાદા અને જીલહિજ્જ. 
 
એક હદીસ અનુસાર અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ સ.અ.વ   એ કહ્યું કે રમઝાન સિવાય સૌથી ઉત્તમ રોજા તે છે જે અલ્લાહના મહિનામાં એટલે કે મોહરમ વખતે રાખવામાં આવે છે. આ કહેતી વખતે નબી-એ-કરીમ હજરત મોહમ્મદ સ.અ.વ   એ એક વાત વધારે જોડી કે જે રીતે અનિવાર્ય નમાજો પછી સૌથી જરૂરી નમાજ તહજ્જુદ કરી છે તેવી જ રીતે રમજાનના રોઝા બાદ સૌથી ઉત્તમ રોઝા મોહરમના છે. 
 
એક સંજોગની વાત છે કે આજે મહોરમની આ રીત બધાની નજરથી દૂર છે અને આ મહિનામાં અલ્લાહની ઈબાદત કરવા માટે ખાસ પ્રકારના રોઝા રાખવાની જ્ગ્યાએ એવા કાર્ય કરવામાં આવે છે જેનો કોઈ જ અર્થ નથી હોતો. જ્યારે કે પેંગબરે-ઈસ્લામે આ મહિનામાં ખુબ જ રોઝા રાખ્યા અને પોતાના સાથીઓનું ધ્યાન પણ આ તરફ આકર્ષિત કર્યું હતું. આ વિશે ઘણી પ્રમાણિક ઘટનાઓ છે.
 
મોહરમની  ઈબાદતને પણ સૌથી મોટો સવાબ કહ્યો છે. હજરત મોહમદના સાથી ઈબ્ને અબ્બાસના પ્રમાણે હજરત મોહમ્મદ સ.અ.વ   એ  કહ્યું છે કે જેણે મોહરમનનો રોઝો રાખ્યો તેના બે વર્ષના પાપ માફ થઈ જાય છે તથા મોહરમના એક રોઝાનો સવાબ 30 રોઝા બરાબર મળે છે. ગોયા એ કે મોહરમના મહિનામાં ખુબ જ રોઝા રાખવા જોઈએ. આ રોજા જરૂરી નથી પરંતુ મોહરમના રોઝાઓનો બહુ સવાબ છે. 
 
હજરત મોહમ્મદના નજીક રહેલ ઈબ્ને અબ્બાસની વાત આ પ્રસંગે ખાસ યાદ કરવામાં આવે છે. તેમના અનુસાર જ્યારે અલ્લાહના રસૂલ મદિના તશરીફ લાવ્યા ત્યારે જોયું કે યહૂદી આ દિવસે રોઝા રાખે છે. હજરત મોહમ્મદ સ.અ.વ   એ જ્યારે તેમને પુછ્યું કે તમે આજના દિવસે રોઝા કેમ રાખો છો તો યહૂદીઓએ જવાબ આપ્યો કે આ તે પ્રતિષ્ઠિત દિવસ છે જે દિવસે હજરત મૂસા તેમજ તેમના અનુયાયિઓને અલ્લાહે બચાવ્યા હતાં અને ફિરઔન તેમજ તેના લશ્કરે ડુબાવી દિધું હતું. ત્યારથી મૂસા અલ્લાહનો આભાર માનવા માટે આ દિવસે રોજા રાખે છે. 
 
આ સાંભળીને હજરત મોહમ્મદ સ.અ.વ  ફરમાવ્યું કે અમે તમારા કરતાં પણ મૂસાની વધારે નજીક છીએ. ત્યારથી આ દિવસે ફક્ત હજરત મોહમ્મદ એકલા એ જ નહિ પરંતુ તેમના સાથીઓને પણ આ દિવસથી રોઝા રાખવા માટે પ્રેરિત કરતાં રહ્યાં. સાથે સાથે આશૂરેની સાથે અરફે એટલે કે 9 મોહરમના રોઝા રાખવાનો હુકમ પણ કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments