Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ - શ્રાવણમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જળભિશેકનું મહત્વ

હિન્દુ ધર્મ - શ્રાવણમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જળભિશેકનું મહત્વ

Webdunia
સોમવાર, 14 જુલાઈ 2014 (17:10 IST)
શ્રાવણ મહિનો ભગવાન  ભોલેનાથનો માસ  છે.શાસ્ત્રો મુજબ આ આખા મહિનો  ભગવાન શિવ ધરતી પર રહે છે. તેથી દરેક શિવલિંગ પર શિવનો વાસ હોય છે.  
 
પરંતુ જે મહત્વ શ્રાવણમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જળાભિશેકનું  છે તે અદભુત અને  અનન્ય છે. 
 
પુરાણોમા જણાવ્યું છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે સમુદ્રનો અંત કરવા કાળુ  વિષ નિકળવા લાગ્યુ તો બધા દેવતાઓ ભગવાન  ભોલેનાથ પાસે રક્ષા માટે  પ્રાર્થના કરવા લાગ્યા. . 
 
ભગવાન શિવે પોતાની અંજલિમાં આ ઝેર ને લઈને પી લીધું . ઝેર પીવાથી ભગવાન શિવનું કંઠ વાદળી થઈ ગયો  આથી શિવજી  નીલેકંઠ કહેવાયા. 
 
એવું માનવું છે કે ભોલેનાથે જ્યાં વિષ પિધુ હતું તે સ્થાન ઋષિકેશ પર્વતથી લગભગ 50 કિમીની દૂર આવેલું છે. ઝેર પીવાથી શિવ અહીં બેભાન થઈ ગયા હતાં 
 
બ્રહ્માજીના કહેવાથી  દેવતાઓએ  જડીબૂટી સાથે ભગવાન શિવનો અહી જળાભિષેક કર્યો  તે પછી જ ભગવાન પુન: ચેતનામાં આવ્યા . આ  ઘટનાનું પ્રતીક રૂપે ત્યાં એક શિવલિંગ પ્રગટ થયું જે નીલકંઠના નામથી  ઓળખાય છે.  
 
 ભગવાન શિવનો પ્રથમ અભિષેક નીલકંઠમાં  થયો હતો. તે પછી જ શિવનો જળાભિષેક કરવાની પરંપરા શરૂ  થઈ. આથી આ શિવલિંગ  પર જળાભિશેક ખૂબ જ પુણ્ય્દાયી ગણાય છે.  
 
જે મહિનામાં શિવજીએ ઝેર પીધું  હતું અને તેમનો  જળાભિષેક દેવતાઓએ કર્યો હતો  તે શ્રાવણ મહિનો હતો. આથી શ્રાવણમાં  નીલકંઠ મહાદેવને  જળભિશેક કરવો ઉત્તમ ગણાય છે . 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments