Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના મહિનામાં શિવપૂજાથી થાય છે ચમત્કારી કામ - જાણો કેવી રીતે કરશો પૂજા

શ્રાવણના મહિનામાં શિવપૂજાથી થાય છે ચમત્કારી કામ - જાણો કેવી રીતે કરશો પૂજા

Webdunia
મંગળવાર, 15 જુલાઈ 2014 (17:29 IST)
શ્રાવણના મહિનામાં  શિવપૂજાનુ ખૂબ જ મહત્વ છે.આ મહિનામાં,શિવની પૂજા કરી તેમને પ્રસન્ન કરી શકાય છે.આ દરમ્યાન કરેલી પૂજાનું ફળ તરત જ મળે છે. 
 
શ્રાવણના મહિનામાં શિવ અને માતા ગૌરીની ખાસ પૂજા કરાય છે.ભક્તો આખો મહિનો અથવા દર સોમવારે ઉપવાસ કરે  છે. 
 
શ્રાવણના મહિનામાં શિવપૂજાની રીત અને ફળ : - 
 
અભિષેક: -આ મહિને અભિષેક જુદા-જુદા પ્રવાહી વસ્તુઓથી કરવાથી ઘણા ફળ મળે છે. જળાભિષેક કરવાથી મન શાંતિ મળે છે અને વરસાદ થાય છે. 
 
દૂગ્ધાભિષેક - ભોલેનાથને દુગ્ધાભિષેક પસંદ છે. દુગ્ધાભિષેકથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.  
 
મૃત્યુંજ્ય મંત્ર  -શિવજીનો પંચાક્ષરી મંત્ર ૐ નમ: શિવાયનો જાપ કરવાથી તન-મનની શુદ્ધી થાય છે. મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માણસ શારીરિક વ્યાધિઓથી દૂર રહે છે. 
 
બિલપત્રી : - ભગવાન શિવને બિલપત્રી અર્પિત કરવાથી મનની શાંતિ મળે છે. જણાવ્યું  છે કે શિવજીને બિલપત્રી અર્પિત કરવાથી  ત્રણ યુગોના પાપોનો નાશ થાય  છે. 
બિલ્વ વૃક્ષના દર્શન,સ્પર્શન અને પ્રણામ કરવાથી જ રાત -દિવસના સમ્પૂર્ણ પાપ નષ્ટ થાય છે. 
 
પણ ધ્યાન રાખો કે :બિલપત્રી હંમેશા ઉંધી અર્પિત કરવી , લીસો ભાગ શિવલિંગના ઉપર હોય. બિલપત્રીમાં ચક્ર અને વજ્ર ન હોવા જોઈએ. બિલપત્રી  ફાટેલી અને  કીડાએ ખાધેલી મતલબ કાણાવાળી ન હોવી જોઇએ. બિલપત્રી ત્રણ અને અગિયારના સમૂહમાં મળે છે. આ જેટલા વધારે હોય તેટલુ સારું રહેશે. 
 
 
આટલુ કરવુ ભૂલશો નહી.. 
 
 
1. સ્નાનકરી સ્વચ્છ કપડાં પહેર્યા,પછી પૂજા કરો . 
2. દેવી પાર્વતીની  પૂજા જરૂર  કરો.. 
3. રૂદ્રાક્ષની માળા પહેરો . 
4. રાખથી ત્રાંસુ ત્રણ લીટીવાળુ તિલક લગાવી  બેસવું.  
5. શિવલિંગ પર રાખેલ પ્રસાદ ન લેવો. સામે રાખેલ પ્રસાદ લઈ શકો છો. 
6. શિવમંદિરની અડધી પરીક્ર્મા જ કરવી જોઈએ. 
7. ચાંપા ફૂલ અને કેવડાના ફૂલ ન અર્પિત કરવા . 
8. પૂજનમાં  સદાચારી ખોરાક,વિચારો અને વર્તન રાખો.
 
 
 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments