rashifal-2026

લૉકડાઉનમાં આ છે આદર્શ પુરૂષ શ્રીરામની વાર્તા

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2020 (14:20 IST)
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમના ઉદ્દેશ્ય દુર્ભાવનાઓનો નાશ અને સમાજમાં શ્રધ્ધા અને આસ્થાને જાગૃત કરવી એ જ રહ્યો છે. 
 
ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણમે કોઈને કોઈ સંદેશો આપી જાય છે. 
 
શ્રીરામ બાળપણમાં રમતી વખતે પોતાના નાના ભાઈ ભરતને જીતાડવા પોતે હારી જતા જે એમની મહાનતાના દર્શન કરાવે છે. પોતાના પિતાનુ વચન પાળવા જીવનની તમામ ખુશીઓને ત્યજીને વનમાં નીકળી જવુ તેમના સહયોગનુ ઉદાહરણ છે. માતા કૌશલ્યા અને કૈકેયી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો, અને ભરતને ક્ષણ માટે પણ કશુ વિચાર્યા વગર રાજગાદીએ બેસાડવા તૈયાર થઈ જવુ એ પરિવાર પ્રત્યેની લાગણીનો આદર્શ નમૂનો છે. 
 
વનમાં શબરીના એઠાં બોર ખાવા એ વર્ગ અને જાતિમાં કોઈ પણ ભેદ ન રાખવો શીખવાડે છે. આમ શ્રીરામનુ સમગ્ર જીવન એક આદર્શ જીવન છે જે મનુષ્યને ધણુ શીખવાડે છે. જો રામના જીવનના આદર્શોનુ મનુષ્ય પાલન કરે તો તેનુ કલ્યાણ થઈ જાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments