Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૉકડાઉનમાં આ છે આદર્શ પુરૂષ શ્રીરામની વાર્તા

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2020 (14:20 IST)
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમના ઉદ્દેશ્ય દુર્ભાવનાઓનો નાશ અને સમાજમાં શ્રધ્ધા અને આસ્થાને જાગૃત કરવી એ જ રહ્યો છે. 
 
ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણમે કોઈને કોઈ સંદેશો આપી જાય છે. 
 
શ્રીરામ બાળપણમાં રમતી વખતે પોતાના નાના ભાઈ ભરતને જીતાડવા પોતે હારી જતા જે એમની મહાનતાના દર્શન કરાવે છે. પોતાના પિતાનુ વચન પાળવા જીવનની તમામ ખુશીઓને ત્યજીને વનમાં નીકળી જવુ તેમના સહયોગનુ ઉદાહરણ છે. માતા કૌશલ્યા અને કૈકેયી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો, અને ભરતને ક્ષણ માટે પણ કશુ વિચાર્યા વગર રાજગાદીએ બેસાડવા તૈયાર થઈ જવુ એ પરિવાર પ્રત્યેની લાગણીનો આદર્શ નમૂનો છે. 
 
વનમાં શબરીના એઠાં બોર ખાવા એ વર્ગ અને જાતિમાં કોઈ પણ ભેદ ન રાખવો શીખવાડે છે. આમ શ્રીરામનુ સમગ્ર જીવન એક આદર્શ જીવન છે જે મનુષ્યને ધણુ શીખવાડે છે. જો રામના જીવનના આદર્શોનુ મનુષ્ય પાલન કરે તો તેનુ કલ્યાણ થઈ જાય.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments