rashifal-2026

Video શિવની કૃપા ઈચ્છતા હોય તો ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ..

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2017 (13:00 IST)
જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ ભગવાન શિવને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનો ખૂબ ખાસ માનવામાં આવે છે. 
 
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. આ ઉપરાંત એક બીજી ખાસ વાત એ છે કે જો રૂદ્રાભિષેક તમે શ્રાવણના મહિનામાં કરો તો તમારુ ઘર સુખ સમૃદ્ધિથી ભર્યુ રહેશે. 
 
એવુ માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કેટલીક વિશેષ વસ્તુઓ લાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ કાયમ રહે છે. આવો જાણીએ એ મુખ્ય પાંચ વસ્તુઓ વિશે જે શ્રાવણમાં તમને શિવનો આશીર્વાદ અપાવી શકે છે. 
 
રૂદ્રાક્ષની માળા - વાસ્તુ મુજબ રૂદ્રાક્ષની માળાને ઘરમાં મુકવાથી અને તેનો જાપ કરવાથી શિવનો સદૈવ સાથ રહે છે. એવુ માનવામાં આવે છે કે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ હતી. રૂદ્રાક્ષની માળાને ઘરના મુખ્ય રૂમમાં મુકો 
 
ભસ્મ - જો તમે શિવની કૃપા મેળવવા માંગો છો અને તેમનો સાથ ઈચ્છો છો તો તેમની મૂર્તિ સાથે ભસ્મ જરૂર મુકો. આ ભસ્મ  બહારની નકારાત્મક શક્તિઓથી પણ તમારી રક્ષા કરશે. 
 
ગંગાજળ - શ્રાવણના મહિનામાં તમારા ઘરમાં ગંગાજળ જરૂર મુકો. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવે ગંગાને પોતાના મસ્તક પર સ્થાન આપ્યુ છે.  જો તમે તેને તમારા ઘરમાં સ્થાન આપો છો તો તેનાથી ભગવાન શિવ પ્રસન્ન રહે છે. આપ ગંગાજળને તમારા ઘરના રસોઈઘરમાં તાંબાના લોટામાં મુકો.. 
 
ત્રિશૂળ - જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગો છો તો ભગવાન શિવના તાંબાના ત્રિશૂળને તમારા ઘરના હોલમાં મુકો.. 
 
તાંબાનો લોટો - તમારા ઘરમાં તાંબાના લોટામાં પાણી ભરીને તેને એ સ્થાન પર મુકો જ્યા સૌથી વધુ લોકો બેસે છે.  તેનાથી ઘરના લોકો વચ્ચે પરસ્પર સંબંધો વધુ મજબૂત રહે છે. 
 
નંદી - શિવના વાહક તરીકે ઓળખાતા નંદીની મૂર્તિ ઘરમાં લાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેથી ઘરમાં ચાંદી કે તાંબાના બનેલા નંદી લાવીને તિજોરીમાં મુકવો જોઈએ. 
 
ડમરુ - ભગવાન શિવ સાથે તેમનો ડમરૂ હંમેશા રહે છે. એવુ માનવામાં આવે છે કે ડમરૂ પોતાના બુલંદ અવાજથી દુર્ગુણોને દૂર કરે છે. તેને ઘરે લાવીને રૂમમાં મુકવુ જોઈએ અને આને ઘરમાં મુકવાથી કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી.. 
વધુ જુઓ..

જરૂર વાંચો

વેલેન્ટાઇન ડે પર રેડ વેલ્વેટ કૂકીઝ

કેન્સરમાં હળદર કેટલી લાભકારી ? કેવી રીતે ઉપયોગ કરવાથી ભરપૂર ફાયદો મળે છે ?

Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?

Pariksha pe charcha 2026- પરીક્ષાઓ પર ચર્ચામાં પીએમ મોદીના મુખ્ય સૂચનો: ટેકનોલોજી સાથે મિત્રતા કરો, મોબાઈલ ફોનની ગુલામી મૂકો

ચોકલેટ માવા બરફી રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments